બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:58 AM, 31 October 2025
ગોંડલ સહિત સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયમાં પોતાની આગવી ઓળખ ધરાવતા જીગીષા પટેલ બુધવારે આમ આદમી પાર્ટી (AAP) સાથે સત્તાવાર રીતે જોડાયા છે. રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલા ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં તેમને AAPનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
ગુજરાતમાં સતત મજબૂત બની રહ્યો છે AAP પરિવાર 💯
— AAP Gujarat (@AAPGujarat) October 30, 2025
આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરિત થઈને પાટીદાર મહિલા આગેવાન જીગીશાબેન પટેલ આજે રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal જીની ઉપસ્થિતમાં વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
"આપ" ગુજરાત પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi, ધારાસભ્ય… pic.twitter.com/LpXExvC4Ux
જીગીષા પટેલે જણાવ્યું હતું કે, હું વર્ષોથી સમાજ માટે લડી રહી છું. વડીલોનું કહેવું હતું કે જનસેવાનું કામ રાજકારણમાં વધુ સારી રીતે થઈ શકે. તે કારણે મેં AAPમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. જીગીષા પટેલ પાટીદાર સમાજની કુર્મી સેનાની મહિલા અધ્યક્ષ છે અને સમાજના મુદ્દાઓને લઈને તેઓ સક્રિય અભિયાન ચલાવતા રહે છે. ગોંડલમાં અલ્પેશ કથેરિયા સાથે મળીને તેમણે સ્થાનિક રાજનીતિમાં મજબૂત હાજરી દર્શાવી, જેનાથી AAPને પાટીદાર મતબેંકમાં નવો લાભ મળવાની શક્યતા વધી છે.
ADVERTISEMENT
એક તરફ ખેડૂતોના મુદ્દે ગુજરાતમાં AAPનું મહાસંમેલન યોજાય છે ત્યારે જ આ જોડાણને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માને ગુજરાતમાં પ્રવેશ કરતાં જ કહ્યું કે, 37 વર્ષ પહેલાં કોંગ્રેસે ખેડૂતો સામે અન્યાય કર્યો હતો અને એ જ ભૂલ હવે ભાજપ કરી રહી છે. ખેડૂતોનો સાચો અવાજ હવે AAP બનશે. ગોંડલની રાજનીતિમાં આ વિકાસને AAPનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે, જે આવતા સમયમાં સ્થાનિક રાજકીય સમીકરણોને બદલતા જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.