બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Parshottam Rupala met with the monks and saints and held a meeting.
Last Updated: 11:14 PM, 13 April 2024
લોકસભાની ચૂંટણીને લઈ દેશભરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણીને લઈ સર્જાયેલો વિવાદ હવે શાંત પડી રહ્યું છે. ક્ષત્રિય સમાજમાં પ્રસરેલો રોષ હવે ધીરે ધીરે શાંત પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ સાધુ-સંતોની સાથે મુલાકાત કરી બેઠક યોજી હતી.
ADVERTISEMENT
રૂપાલાની સાધું-સંતો સાથે બેઠક
ક્ષત્રિય સમાજના વિવાદિત નિવેદન વચ્ચે રૂપાલાએ સાધુ સંતો સાથે બેઠક યોજી હતી. જેમાં પાળીયાદ ધામના ગાદીપતીએ રૂપાલા સાથે બેઠક કરી વિવિધ ચર્ચાઓ કરી હતી પાળીયાદ ધામના ભયલુ બાપુએ તેમજ બલિયાવડ શક્તિધામના આઈશ્રી દેવલઆઈએ પણ મુલાકાત કરી હતી. જે બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.
ADVERTISEMENT
જામસાહેબે શું કહ્યું હતું ?
જામસાહેબે કહ્યું હતું કે, રૂપાલા ક્ષત્રિય આગેવાનો અને ધર્મગુરૂઓ સામે માફી માગે તો માફી આપવી જોઈએ. જામનગરના રાજવી જામસાહેબે કહ્યું કે, ક્ષમા વિરસ્ય ભૂષણમ એ ક્ષત્રિયોનો ધર્મ છે અને એ ધર્મે રૂપાલાને માફી આપવી જોઈએ. જામસાહેબે એમ પણ ઉમેર્યું હતું કે, રૂપાલા બે વાર માફી માગી એ પૂરતી નથી. તેમણે સામાજિક આગેવાનો અને ધર્મગુરૂઓની માફી માગવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
જાણો સમગ્ર વિવાદ
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.