બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 06:10 PM, 26 February 2024
દેશના પ્રસિદ્ધ ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યાં છે. સોમવારે 72 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ તેમણે મુંબઈમાં દેહ છોડ્યો હતો. તેમના જેવું રત્ન ગુમાવીને ભારતને બહુ મોટી ખોટ પડી છે. પંકજ ઉધાસના કેટલાક ગીતો તો એવા લાજવાબ હતા કે તેમણે સાંભળીને આજે પણ આંખો ભરાઈ આવે, બોલિવુડના મોટા મોટા દિગ્ગજો તેમના ગીતો સાંભળીને આંસુથી છલકાયા હતા. આવો આ મહાન જીવને આવો શ્રદ્ધાંજલિ આપીને તેમના જીવન-કવન વિશે થોડું જાણીએ.
ADVERTISEMENT
Deeply saddened to hear about the passing of legendary singer Pankaj Udhas. His soulful voice and timeless melodies were a source of comfort and enjoyment for many like me. The music world has truly lost a gem. May his soul rest in peace. pic.twitter.com/NYhlCU2oRv
— Naveen Jindal (@MPNaveenJindal) February 26, 2024
ADVERTISEMENT
ગુજરાતના જેતપુરના નવાગઢમાં જન્મ
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના દિવસે ગુજરાતના જેતપુરના નવાગઢમાં ચારણ પરિવારમાં થયો હતો. ત્રણ ભાઈઓમાં સૌથી નાના પંકજ ઉધાસના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન ઉધાસ છે. પંકજ ઉધાસની જેમ તેમના બન્ને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગઝલ ગાયક તરીકે પ્રસિદ્ધ છે. ઘરમાં જ સંગીતનો માહોલ હોવાથી તેમને રુચિ પેદા થઈ હતી જોકે શરુઆતમાં તેઓ તબલ વાદક બનવા માગતા હતા પરંતુ ધીરે ધીરે તેમને ગઝલમાં રસ પડવા લાગ્યો.
ભાવનગરમાં ભણીને મુંબઈ સ્થાયી
પંકજ ઉધાસનું શરુઆતનું ભણતર ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટ્યૂટમાંથી થયું હતું. આ પછી તેમનો પરિવાર મુંબઈ સ્થાયી થયો હતો અને વધુ અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો હતો. દાદા ગામમાંથી પ્રથમ ગ્રેજ્યુએટ હતા અને ભાવગર રાજ્યના દીવાન (મહેસૂલ મંત્રી) હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા અને તેઓ પ્રખ્યાત વીણા વાદક અબ્દુલ કરીમ ખાનને મળ્યા હતા.
Om Shanti 😔😔😔
— Gaurav Gupta (@GauravG61833332) February 26, 2024
We miss you #Pankajudhas pic.twitter.com/bKdFaJ9S01
'એ મેરે વતન કે લોગોં' ગીત માટે મળ્યું 51 રુપિયાનું ઈનામ
મોટા ભાઈ મનહર ઉધાસ થિયેટર એક્ટર હતા અને આને કારણે તેઓ સંગીતના ક્ષેત્રમા આવ્યાં હતા. તેમણે સૌ પ્રથમ એક થિયેટર ગાયક તરીકે સંગીતની દુનિયામાં પગ મૂક્યો. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેમણે સ્ટેજ પર 'એ મેરે વતન કે લોગોં' ગીત ગાયું હતું, જે દર્શકોને ખૂબ જ ગમ્યું હતું અને તેમને ઇનામ તરીકે ₹ 51 આપવામાં આવ્યા હતા.
Ghazal was already dying and with #PankajUdhas ji, it's completely dead now..
— AKSHAT RAWAT🇮🇳 (@aksingh639471) February 26, 2024
End of an era....!!! ॐ शांति 🙏 pic.twitter.com/FEuZb9cL86
કયા કયા સુપરહીટ ગીતો આપ્યાં
પંકજ ઉધાસે આપેલી સુપરહીટ ગીતો અને ગઝલોમાં 'ચિઠ્ઠી આઈ હૈ', ન કજરે કી ધાર, તું ચીજ બડી હૈ મસ્ત વગેરે સહિતના ઘણા ગીતો આપ્યાં છે. તેમના આ ગીતો આજે પણ એટલા તરોતાજા લાગે છે.
Saddened by the loss of a musical legend, Pankaj Udhas. His soulful melodies touched hearts. Rest in peace #PankajUdhas ji 🙏 pic.twitter.com/LTPo0TioLB
— Prayag (@theprayagtiwari) February 26, 2024
'ચિઠ્ઠી આઈ હૈ' ગીત સાંભળીને રાજ કપૂર રડી પડ્યાં
પંકજ ઉદાસે નામ ફિલ્મમાં 'ચિઠ્ઠી આઈ હૈ' ગીત ગાયું હતું જે સુપરહીટ સાબિત થયું હતું જે સાંભળીને પીઢ અભિનેતા અને શોમેન તરીકે પ્રખ્યાત નિર્માતા, દિગ્દર્શક રાજ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે આ ગીત સુપરહીટ થશે અને તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ હતી. આ ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર કુમાર હતા, જેઓ તેમના એક હીરો કુમાર ગૌરવના પિતા હતા. એક દિવસ રાજેન્દ્ર કુમારે રાજ કપૂરને ડિનર માટે આમંત્રણ આપ્યું અને ગીત વગાડ્યું.
It is disheartening to hear the news of the death of Ghazal Maestro, Pankaj Udhas. His souldful renditions will be missed deeply. Om Shanti. 🙏#PankajUdhas pic.twitter.com/CrXVYHszys
— Sanatan Joddha (@SanatanJoddha) February 26, 2024
પંકજ ઉદાસના ભાઈ મનહર ઉધાસે પણ ઘણા ગીતો આપ્યાં
ઉલ્લેખનીય છે કે પંકજ ઉદાસના ભાઈ મનહર ઉધાસે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે જેમાં 'રામ લખન'ના 'તેરા નામ લિયા', 'હીરો'ના 'તુ મેરા હીરો હૈ', 'જાન'ના 'જાન ઓ મેરી જાન', 'કુરબાની'ના 'હમ તુમ્હે ચાહતા હૈં ઐસે'થી લઈને 'કર્મા'નો સમાવેશ થાય છે.
પંકજ ઉદાસને કયા કયા એવોર્ડ મળ્યાં
પંકજ ઉદાસને 2006માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંગીતની દુનિયામાં ગાયનને અપાતા એવોર્ડ કે.એલ.સાયગલ એવોર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. 1985થી 2006 સુધી તેમણે ઘણા એવોર્ડ જીત્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.