બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:15 PM, 26 November 2025
અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજાની સ્થપના બાદ પાકિસ્તાનની પ્રતિક્રિયા આવી છે. જેમાં તેને ધર્મ ધ્વજાની સ્થપનાને ભારતના અલ્પસંખ્યક અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસા માટે ખતરો ગણાવ્યો છે. તેમના આ સ્ટેટમેન્ટ પર ભારત સરકારે તીખી પ્રતિકિયા આપી છે. જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, પાકિસ્તાનને અન્ય લોકોને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આ દરમિયાન તેમને પાકિસ્તાનની કટ્ટરતા, દમન અને તેમના લઘુમતીઓ પરના અત્યાચારના કલંકિત રેકોર્ડનો ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT
જયસ્વાલે અયોધ્યામાં મંગળવારે યોજાયેલા ધાર્મિક સમારોહ પર પાકિસ્તાનની ટિપ્પણીઓનો કડક જવાબ આપતા કહ્યું, "અમે તેમના નિવેદનો જોયા છે અને તેને નકારી કાઢીએ છીએ. કટ્ટરતા, દમન અને તેમના લઘુમતીઓ પરના અત્યાચારના કલંકિત ઈતિહાસવાળા દેશના રૂપમાં પાકિસ્તાનને અન્ય લોકોને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી."
VIDEO | Delhi: Addressing a press conference, MEA spokesperson Randhir Jaiswal, reacting to Pakistan’s comments on PM Modi hoisting the flag at the Ayodhya Ram Temple, says, “We have seen the reported remarks and reject them with the contempt they deserve. As a country with a… pic.twitter.com/wdKQVPHMrt
— Press Trust of India (@PTI_News) November 26, 2025
ADVERTISEMENT
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ધર્મ ધ્વજા લગાવવાની ઘટનાને ઇસ્લામોફોબિયા અને તેમના વારસાનું ગંભીર અપમાન છે". પાકિસ્તાને જણાવ્યું હતું કે, "આ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણનું મોટું પેટર્ન અને હિન્દુત્વની વિચારધારાના પ્રભાવ હેઠળ મુસ્લિમ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને નષ્ટ કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે". પાકિસ્તાને ભારતની સરકાર અને ન્યાયતંત્ર પર પણ હુમલો કર્યો, જેને રામ મંદિરના નિર્માણને મંજૂરી આપી. પાકિસ્તાને ભારતના લઘુમતીઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ વલણ ગણાવ્યું હતું.
ADVERTISEMENT
પાકિસ્તાને જણાવ્યું હતું કે, "જ્યાં એક સમયે બાબરી મસ્જિદ હતી ત્યાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે. બાબરી મસ્જિદ અનેક સદીઓ જૂનું ધાર્મિક સ્થળ હતું જેને 6 ડિસેમ્બર 1992 ના રોજ એક ટોળા દ્વારા તોડી પાડવામાં આવી હતી". આ સિવાય પાકિસ્તાને 22 જાન્યુઆરી 2024 ના રોજ યોજાયેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પણ નિંદા કરી હતી.

ADVERTISEMENT
જેમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, "અમે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની નિંદા કરીએ છીએ. આ મંદિર બાબરી મસ્જિદ તોડીને બનાવવામાં આવ્યું હતું. ભારતમાં વધતી જતી હિન્દુત્વ વિચારધારા ધાર્મિક સદભાવ અને પ્રાદેશિક શાંતિ માટે મોટો ખતરો છે. આવું કરીને ભારત મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યું છે".
ADVERTISEMENT
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરતા કહ્યું હતું કે, "ભારતમાં વધી રહેલા ઇસ્લામોફોબિયા, નફરત અને મુસ્લિમો પરના હુમલાઓ પર ધ્યાન આપવામાં આવે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને કહ્યું કે, ભારતમાં ધાર્મિક સ્થળો અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે પગલાં ઉઠાવે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.