બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:12 PM, 2 May 2026
પાકિસ્તાનમાં ઈંધણની ભારે તંગીને કારણે હાહાકાર મચી ગયો છે. પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા અનુસાર, દેશ પાસે માત્ર 5 થી 7 દિવસનો તેલ ભંડાર બાકી છે. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા માટે પેટ્રોલના ભાવમાં 42.7 ટકાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેનાથી કિંમત 458.41 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, ભારત પાસે 60 થી 70 દિવસનો તેલ ભંડાર હોવાથી સ્થિતિ નિયંત્રણમાં છે. પાકિસ્તાન સરકારે IMF સાથે વાતચીત કરીને લેવી ઘટાડવાના પ્રયાસો કર્યા છે, પરંતુ સ્થિતિ હજુ પણ ગંભીર છે.
ADVERTISEMENT

સમા ટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે પાકિસ્તાનની નબળી આર્થિક નીતિઓનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે માત્ર વ્યાપારી ભંડાર છે અને કોઈ વ્યૂહાત્મક તેલ અનામત નથી, જે કટોકટીના સમયે કામ આવી શકે. મધ્ય પૂર્વમાં સંઘર્ષને કારણે તેલના વૈશ્વિક પુરવઠા પર અસર પડી છે, જેની સૌથી સીધી અને આકરી અસર પાકિસ્તાન પર જોવા મળી રહી છે. ઈંધણની તંગીને કારણે પાકિસ્તાનમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
ADVERTISEMENT

પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતોમાં અચાનક 42.7 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ જે પેટ્રોલ 321.17 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર હતું, તે હવે વધીને 458.41 પાકિસ્તાની રૂપિયા થઈ ગયું છે. ડીઝલની કિંમતોમાં પણ 3 થી 4 ગણો વધારો થયો હોવાનું મંત્રીએ સ્વીકાર્યું છે. જોકે, સરકારે જનતાને થોડી રાહત આપવા માટે ડીઝલ પરની લેવી શૂન્ય કરી દીધી છે, પરંતુ તેનો સંપૂર્ણ બોજ પેટ્રોલના ભાવ પર નાખવામાં આવ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની સરકારે IMF સાથે ગુપ્ત મંત્રણા કરી હતી જેથી લેવીમાં 80 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરી શકાય, પરંતુ તે પૂરતું સાબિત થઈ રહ્યું નથી.
ADVERTISEMENT
પાકિસ્તાની મંત્રીએ ભારત સાથે તુલના કરતા કહ્યું કે ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારત પાસે માત્ર 600 અબજ ડોલરનું વિદેશી મુદ્રા ભંડાર જ નથી, પરંતુ તેમની પાસે વ્યૂહાત્મક અને વ્યવસાયિક તેલ ભંડારનો મોટો જથ્થો છે જે લગભગ 60 થી 70 દિવસ સુધી ચાલી શકે છે. આ બેવડા લાભને કારણે વૈશ્વિક સંકટ સમયે પણ ભારત પ્રભાવિત થયું નથી. ભારતમાં હાલમાં પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ સ્થિર છે, જે પાકિસ્તાનની સરખામણીએ ઘણું સસ્તું છે.
આ પણ વાંચોઃ દિલ્લીએ તેમના ઇતિહાસનો સૌથી મોટો કર્યો રનચેઝ, રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું
ADVERTISEMENT
ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે કે દેશ પાસે હાલમાં લગભગ 8 લાખ ટન એલપીજીનો સ્ટોક છે અને તેલનો પુરવઠો આગામી 60 દિવસ માટે સુરક્ષિત છે. જ્યારે ભારત પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન માત્ર 5 દિવસના તેલ પર નિર્ભર છે. જો આગામી દિવસોમાં મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ ખરાબ થશે, તો પાકિસ્તાનમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.