ભારત સાથે સંબંધ સુધારવાનો દેખાડો કરી રહેલા પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે એર સ્પેસ ખોલવાનો નનૈયો ભણી દીધો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ શનિવારના રોજ કહ્યું કે, વર્તમાન સમયગાળામાં પાકિસ્તાન ભારતને પોતાનો એર સ્પેસ વાપરવાની મંજૂરી આપી શકે તેમ નથી. રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારના રોજ આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાના પ્રવાસે જનાર છે.
પાક.ના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ભારત સરકારે પાકિસ્તાન પાસે એરસ્પેસ વાપરવા માટેની મંજૂરી માગી હતી. આ બાબત તેમના રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસ સાથે જોડાયેલી છે. ત્યારે વર્તમાન સ્થિતિને જોતા પાકિસ્તાને ભારતને પોતાનો એરસ્પેસ વાપરવાની મંજૂરી આપી નથી.
Pakistan has denied Indian President Ram Nath Kovind the permission to enter airspace, says Pak Foreign Minister SM Qureshi: AFP news agency (file pic) pic.twitter.com/jVWIso9T0j
પાકિસ્તાનાન વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલ પીટીવીને આપેલ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ નિર્ણયને લીલી ઝંડી આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે ત્રણ રાષ્ટ્રોની વિદેશ યાત્રા પર રવાના થઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારના રોજ આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાના પ્રવાસે જનાર છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પ્રવાસમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા મામલો ભારતના પક્ષમાં રાખશે. આ સિવાય આ રાષ્ટ્રોની સાથે વેપાર સહિત કેટલાય દ્વિપક્ષીય મુદ્દા પર વાત થશે.