રાષ્ટ્રીય કારકિર્દી સેવા (એનસીએસ) પોર્ટલ પર આખા દેશમાં માહિતી ટેકનોલોજી, રિટેલ અને નિર્માણ જેવા ક્ષેત્રોમાં 1.5 લાખથી વધુ નોકરીઓની જાણકારી તૈયાર છે.
આ વેબસાઈટ પર 1.5 લાખથી વધુ નોકરીઓની જાણકારી તૈયાર
26,000થી વધુ ઈ-શ્રમના લાભાર્થીઓએ તેમનુ રજીસ્ટ્રેશન કરાવ્યું
રજીસ્ટર્ડ થયેલા લાભાર્થીઓ મેળવી રહ્યાં છે લાભ
ઈ-શ્રમના લાભાર્થીઓએ એનસીએસ પર તેમનુ રજીસ્ટ્રેશન કરાવ્યું
શ્રમ અને રોજગાર મંત્રાલયે બુધવારે કહ્યું કે અત્યાર સુધી 26,000થી વધુ ઈ-શ્રમના લાભાર્થીઓએ એનસીએસ પર તેમનુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તથા તેનાથી લાભાન્વિત થઇ રહ્યાં છે. મંત્રાલયે કહ્યું, એનસીએસ પોર્ટલ પર દેશના દરેક ભાગમાં 1.5 લાખથી વધુ નોકરીઓની માહિતી છે. આ નોકરીઓ આઈટી અને સંચાર, રિટેલ અને જથ્થાબંધ માર્કેટ, સિવિલ અને નિર્માણ કાર્ય જેવા અલગ-અલગ ઉભરતા ક્ષેત્રો સાથે સંબંધિત છે. અત્યાર સુધી 26,000થી વધુ ઈ-શ્રમના લાભાર્થીઓએ એનસીએસ પર તેનુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેનો લાભ મેળવી રહ્યાં છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23ના બજેટ ભાષણમાં ઉદ્યોગસાહસિકના અવસરોને વધારવાના લક્ષ્યની સાથે લોન સંબંધી સુવિધા, કૌશલ નિર્માણ અને નિમણુક સાથે જોડાયેલી સેવાઓને સક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી ચાર પોર્ટલ રાષ્ટ્રીય કેરિયર સેવા (એનસીએસ), ઈ-શ્રમને જોડવાની જાહેરાત કરી હતી.
રોજગારના અવસર વધુ ખુલ્યા
આ જાહેરાતને અનુરૂપ એનસીએસ અને ઈ-શ્રમને એકબીજાની નજીક જોડવાનુ કામ હાલમાં પૂર્ણ થયુ છે. જેને કારણે ઈ-શ્રમ પર રજીસ્ટર્ડ અસંગઠિત કામદારોને એનસીએસ પર કોઈ પણ સમસ્યા વગર રજીસ્ટ્રેશન કરાવવુ અને એનસીએસના માધ્યમથી સારા રોજગારના અવસરોની તલાશ કરવામાં સમર્થ બનાવ્યું છે.