બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઈ-શ્રમના લાભાર્થીઓએ એનસીએસ પર તેમનુ રજીસ્ટ્રેશન કરાવ્યું
શ્રમ અને રોજગાર મંત્રાલયે બુધવારે કહ્યું કે અત્યાર સુધી 26,000થી વધુ ઈ-શ્રમના લાભાર્થીઓએ એનસીએસ પર તેમનુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તથા તેનાથી લાભાન્વિત થઇ રહ્યાં છે. મંત્રાલયે કહ્યું, એનસીએસ પોર્ટલ પર દેશના દરેક ભાગમાં 1.5 લાખથી વધુ નોકરીઓની માહિતી છે. આ નોકરીઓ આઈટી અને સંચાર, રિટેલ અને જથ્થાબંધ માર્કેટ, સિવિલ અને નિર્માણ કાર્ય જેવા અલગ-અલગ ઉભરતા ક્ષેત્રો સાથે સંબંધિત છે. અત્યાર સુધી 26,000થી વધુ ઈ-શ્રમના લાભાર્થીઓએ એનસીએસ પર તેનુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેનો લાભ મેળવી રહ્યાં છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23ના બજેટ ભાષણમાં ઉદ્યોગસાહસિકના અવસરોને વધારવાના લક્ષ્યની સાથે લોન સંબંધી સુવિધા, કૌશલ નિર્માણ અને નિમણુક સાથે જોડાયેલી સેવાઓને સક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી ચાર પોર્ટલ રાષ્ટ્રીય કેરિયર સેવા (એનસીએસ), ઈ-શ્રમને જોડવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT

રોજગારના અવસર વધુ ખુલ્યા
ADVERTISEMENT
આ જાહેરાતને અનુરૂપ એનસીએસ અને ઈ-શ્રમને એકબીજાની નજીક જોડવાનુ કામ હાલમાં પૂર્ણ થયુ છે. જેને કારણે ઈ-શ્રમ પર રજીસ્ટર્ડ અસંગઠિત કામદારોને એનસીએસ પર કોઈ પણ સમસ્યા વગર રજીસ્ટ્રેશન કરાવવુ અને એનસીએસના માધ્યમથી સારા રોજગારના અવસરોની તલાશ કરવામાં સમર્થ બનાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.