બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''હર ઘર તિરંગા...'', સ્વતંત્રતા દિવસને લઇ PM મોદીનો સમગ્ર દેશવાસીઓને સંદેશ

National / ''હર ઘર તિરંગા...'', સ્વતંત્રતા દિવસને લઇ PM મોદીનો સમગ્ર દેશવાસીઓને સંદેશ

Published By: Nidhi Panchal

Last Updated: 04:07 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાસ સંદેશ આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને તેમણે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાની અને દેશ માટે સંકલ્પ લેવાની અપીલ કરી છે.

15 ઓગસ્ટે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે. આ અવસરને વધુ ભવ્ય અને દેશભક્તિના રંગમાં રંગવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો દ્વારા તેમણે દેશના દરેક નાગરિકને પોતાના ઘરમાં ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ પોતાના સંદેશમાં દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રગૌરવનો ભાવ વ્યક્ત કરતાં સૌને આ અભિયાનમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

PM Modi Flood Assessment

PM નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં કહ્યું કે, "આવો, 15 ઓગસ્ટ ગર્વથી ઉજવીએ. સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીએ અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લઈએ. દરેક ઘરમાં ત્રિરંગો હોય, દરેક હૃદયમાં ત્રિરંગો હોય. ચાલો દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવીએ." તેમના આ સંદેશ દ્વારા તેમણે માત્ર ધ્વજ ફરકાવવાની અપીલ જ નહીં પરંતુ દેશના સ્વાતંત્ર્ય માટે બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવાની અને તેમના સપનાઓનું ભારત બનાવવા માટે સંકલ્પ લેવાનો પણ સંદેશ આપ્યો છે.

15 ઓગસ્ટને ઉત્સાહ અને ગર્વ સાથે ઉજવવા અનુરોધ કર્યો

PM મોદીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં પણ દેશવાસીઓને 15 ઓગસ્ટને ઉત્સાહ અને ગર્વ સાથે ઉજવવા અનુરોધ કર્યો છે. તેમણે "દરેક ઘરમાં ત્રિરંગો, દરેક હૃદયમાં ત્રિરંગો" એવું સૂત્ર આપીને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમનું કહેવું છે કે જ્યારે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાશે ત્યારે સમગ્ર દેશ એકતા, ગૌરવ અને રાષ્ટ્રીય ભાવનાના રંગમાં રંગાઈ જશે.

દર વર્ષે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. શાળાઓ, સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ તેમજ સામાન્ય લોકો પોતાના ઘરો અને કાર્યસ્થળો પર ત્રિરંગો ફરકાવી દેશપ્રેમ વ્યક્ત કરે છે. આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરમાં ત્રિરંગો ફરકાવી આ અભિયાનમાં જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમેરિકન પતિની છેલ્લી ઈચ્છા પૂરી કરવા જાપાની પત્ની બાગેશ્વર પહોંચી, સરયૂમાં અસ્થિ વિસર્જન

15 ઓગસ્ટનો દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશ માટે બલિદાન આપનારા મહાન સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવાનો અને તેમના સપનાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ બનવાનો દિવસ પણ છે. પીએમ મોદીએ દેશવાસીઓને આ જ ભાવના સાથે સ્વતંત્રતા દિવસ ઉજવવા, પોતાના ઘરમાં ત્રિરંગો ફરકાવવા અને વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવાનું આહ્વાન કર્યું છે. તેમણે ફરી એકવાર દેશને સંદેશ આપ્યો છે કે "દરેક ઘરમાં ત્રિરંગો હોય, દરેક હૃદયમાં ત્રિરંગો હોય", જેથી સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિના રંગમાં રંગાઈ જાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day PM Modi Har Ghar Tiranga

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ