બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / 12 ઓગસ્ટે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ! 64 વર્ષ બાદ દિવસે છવાશે અંધારું, ભારતમાં સૂતક લાગશે?
5 ફોટો ગેલેરી
Last Updated: 03:22 PM, 11 August 2026
1/5
આવતીકાલે એટલે કે 12ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ ખગોળીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. જેમ જેમ ચંદ્ર સૂર્યની સામે આવશે, તેમ સૂર્યનો મોટો ભાગ તેના પડછાયાથી ઢંકાઈ જશે. ગ્રહણની ચરમસીમા નજીક આકાશમાં પ્રકાશ નોંધપાત્ર રીતે ઘટી જશે. ચંદ્ર સૂર્યના લગભગ 90 ટકા ભાગને આવરી લેશે. જેમ જેમ ચંદ્ર સૂર્યને ઢાંકતો જશે તેમ પ્રકાશ ઝાંખો પડતો જશે અને એવું વાતાવરણ સર્જાશે કે જાણે ક્ષણભર માટે રાત પડી હોય તેવો અનુભવ થશે. આ સમય દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે અને આસપાસનું વાતાવરણ બદલાયેલું જણાઈ શકે છે. જોકે, આ સ્થિતિ માત્ર થોડા સમય માટે જ રહેશે. ગ્રહણ સમાપ્ત થતાં જ સૂર્યપ્રકાશ પાછો આવશે અને વાતાવરણ ધીમે ધીમે સામાન્ય થઈ જશે.
2/5
આ સૂર્યગ્રહણનો અદભૂત નજારો યુરોપ અને ઉત્તર એટલાન્ટિક ક્ષેત્રના કેટલાક ભાગોમાં જોવા મળશે. બ્રિટન, સ્પેન, આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડ એ મુખ્ય સ્થળોમાં સામેલ છે જ્યાં આ ગ્રહણ જોઈ શકાશે.અહેવાલો અનુસાર, આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટ, 2026ના રોજ પૃથ્વી પર આ પ્રકારનું એક દુર્લભ સૂર્યગ્રહણ જોવા મળશે. એવી ઘટના જે 1999 પછી જોવા મળી નથી. દરમિયાન, આ પ્રકારનું આગામી સૂર્યગ્રહણ 23 ઓગસ્ટ, 2090ના રોજ થવાની આગાહી કરવામાં આવી છે. પરિણામે, જે લોકો આ દુર્લભ ખગોળીય ઘટનાના સાક્ષી બનશે, તેમના માટે આ ખરેખર એક અનોખો અને વિશેષ અનુભવ હશે.
3/5
હવે પ્રશ્ન એ થાય છે કે, શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે? તેનો જવાબ છે- ના. ભારતના લોકો આ અદભૂત દ્રશ્ય જોઈ શકશે નહીં. તેનું કારણ એ છે કે ભારતીય સમય મુજબ આ સૂર્યગ્રહણ રાત્રિના સમયે થશે. પરિણામે, ભારતમાંથી સૂર્ય દેખાશે નહીં અને ગ્રહણ પણ જોઈ શકાશે નહીં.
4/5
ભારતીય માનક સમય અનુસાર, ગ્રહણ રાત્રે 9:04 વાગ્યે શરૂ થશે. સંપૂર્ણ ગ્રહણ રાત્રે 10 : 29 વાગ્યે શરૂ થશે અને રાત્રે 11:16 વાગ્યે તે તેની ચરમસીમા પર પહોંચશે. તે 13 ઓગસ્ટના રોજ વહેલી સવારે લગભગ 1:27 વાગ્યે સમાપ્ત થશે. આ સમય દરમિયાન ભારતમાં રાત હોવાથી, દેશમાંથી સૂર્યગ્રહણ જોઈ શકાશે નહીં.
5/5
ભારતમાં સૂર્યગ્રહણ દેખાવાનું ન હોવાથી 'સુતક' કાળનો પ્રશ્ન ઊભો થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સુતક કાળનો સંબંધ ગ્રહણ દેખાવા સાથે હોય છે. તેથી, 12 ઓગસ્ટનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી, અહીં સુતક કાળ અને તેના સંબંધિત નિયમો લાગુ પડશે નહીં.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ