બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2047 સુધી ગીરનું સિંહક્ષેત્ર 50 હજાર ચોરસ કિમી સુધી વિસ્તરશે
Last Updated: 02:40 PM, 11 August 2026
ગુજરાતમાં એશિયાટિક સિંહોનો વસવાટ વિસ્તાર આગામી બે દાયકામાં નોંધપાત્ર રીતે વધી શકે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ વર્ષ 20247 સુધીમાં સિંહોનો વિસ્તાર આશરે 50 હજાર ચો.કિમી સુધી પહોંચી શકે છે. હાલ સિંહો આશરે 35 હજાર ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલા છે. વધતા વિસ્તારને કારણે સિંહો અને માનવ વસાહતો વચ્ચે સંઘર્ષનું જોખમ પણ વધી શકે છે.
ADVERTISEMENT
સિંહોનાં સંરક્ષણ માટે બીજું સુરક્ષિત ઘર શોધવું પડશે
નિષ્ણાતોએ સિંહોનાં સંરક્ષણ માટે બીજું સુરક્ષિત ઘર ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. 2025ની ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા વધી 891 થઈ છે, જ્યારે 2015માં આ સંખ્યા 523 હતી. જોકે, વધતી વસતિને ધ્યાનમાં રાખીને સિંહોના નવા વિસ્તારોમાં સુરક્ષા અને સ્થાનિક લોકોની ભાગીદારી વધુ મહત્ત્વની બનશે.
ADVERTISEMENT
નવા સુરક્ષિત વિસ્તારો વિકસાવવાની જરૂરિયાત
ADVERTISEMENT
સિંહોના વસવાટ વિસ્તારના વિસ્તરણ સાથે માનવ-સિંહ સંઘર્ષની શક્યતા પણ વધી શકે છે. નિષ્ણાતોના મતે નવા વિસ્તારોમાં સિંહોની સુરક્ષા સાથે સ્થાનિક લોકોનાં હિતોનું પણ ધ્યાન રાખવું જરૂરી બનશે. સિંહોની સંખ્યા સતત વધી રહી હોવાથી માત્ર હાલના ગીર વિસ્તાર પર આધાર રાખવાને બદલે નવા સુરક્ષિત વિસ્તારો વિકસાવવાની જરૂરિયાત પણ વધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.