બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / અન્ય જિલ્લા / On the one hand, in 5 states, Supada was cleaned, on the other hand, the Congress started this campaign in Gujarat

ચલે ચલો / એક તરફ 5 રાજ્યોમાં સૂપડાં સાફ તો બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસે શરૂ કર્યું આ અભિયાન

Mehul

Last Updated: 07:34 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં કોંગ્રેસ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરાયું છે જોકે પાંચ રાજ્યોના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસી કાર્યકરો સહિત અગ્રણીઓ નિરાશાના માહોલ. છતાં મક્કમ નિર્ધાર

  • હિંમતનગરમાં કોંગ્રેસની સદસ્યતા નોંધણી
  • 'જેને ભાજપમાં જવું હોય જાય'-જીગ્નેશ મેવાણી
  • મેવાણીના નિવેદનથી કાર્યકરોમાં અસમંજસ 


પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સાબરકાંઠામાં આજથી કોંગ્રેસ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરાયું છે જોકે પાંચ રાજ્યોના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસી કાર્યકરો સહિત અગ્રણીઓ નિરાશાના માહોલમાં દેખાયા હતા છતાંય તૂટતી કોંગ્રેસને બચાવવા અડીખમ હોવાનું નિવેદન આપ્યું છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં  કોંગ્રેસ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાનની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત વડગામના ધારાસભ્ય તેમજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રભારી ગોવાભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જાહેર સંમેલન યોજી આગામી વિધાનસભામાં કોઈ પણ ભોગે સંજોગે ગુજરાતમાં કોંગ્રેસને સત્તામાં લાવવા આહવાન કરાયું હતું.  જોકે આજે જાહેર થયેલા પાંચ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હારનો પડઘો સાબરકાંઠાના કાર્યકરોમાં પણ દેખાયો હતું. જોકે સાબરકાંઠા જિલ્લા માં જીગ્નેશ મેવાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ગત વિધાનસભામાં ખૂબ ઓછા માર્જિનથી સત્તામાં આવી શક્યા નથી ત્યારે આ વખતે અમે પૂર્ણ તાકાતથી વિધાનસભા લડીશું અને ડંકાની ચોટ પર લડીશું અને અડીખમ ઊભા રહીશું

સાથોસાથ છેલ્લા કેટલાક સમયથી તમામ જિલ્લાઓમાંથી કોંગ્રેસ તૂટી રહી છે મોટાભાગના નેતાઓ તેમજ સહકારના અગ્રણીઓ કોંગ્રેસને તરછોડી ભાજપ તરફ જઈ રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાના મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે જે લોકોને જવું હોય તેમને સંપૂર્ણ છૂટ છે જોકે જીગ્નેશ મેવાણી ના આવા નિવેદનને પગલે સ્થાનિક કાર્યકરો પણ મૂંઝાયા હતા જોકે કોંગ્રેસી વિચારધારાની સમર્પિત આગેવાનો સહિત ટેકેદારોમાં પણ જીગ્નેશ મેવાણીના નિવેદનને પગલે વિરોધાભાસ જોવા મળ્યો હતો ત્યારે કોંગ્રેસમાં નવી નિમણૂક પામેલા જીગ્નેશ મેવાણી સામે આગામી સમયમાં વિરોધનો વંટોળ સર્જાય તો નવાઈ નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ