ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના પ્રવાસીનો પરિવાર સાથે થયો સંપર્ક, નેપાળમાં સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા થઈ 24
Last Updated: 05:35 PM, 29 August 2026
ADVERTISEMENT
નેપાળમાં આવેલા પૂરમાં ઘણા ગુજરાતીઓ પણ ગુમ થયાં છે હજુ સુધી તેમની જાણકારી મળી નથી. સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા 24 થઈ છે. માત્ર એક જ પરિવારનો સંપર્ક થઈ શક્યો છે. અમરેલીના પ્રવાસીનો તેના પરિવાર સાથે સંપર્ક થયો છે. પરિવારે વહીવટી તંત્રને સંપર્ક થયો હોવાની માહિતી આપી હતી.
ADVERTISEMENT
આણંદનું કપલ પણ ગુમ
નેપાળમાં આવેલા પ્રલયમાં આણંદનું દંપતી લાપતા બન્યું છે. વિમલ પટેલ અને તેમના પત્ની જૈમીના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સથી નેપાળ ફરવા ગયા હતા ત્યાર બાદ નેપાળ પ્રવાસેથી તેઓ કૈલાશ માનસરોવાર યાત્રાએ નીકળ્યું હતું અને ચીનના વીઝા લેવા ગયા હતા. ગત રવિવારે પરિવારે દંપતી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રવિવાર પછીથી વિમલ પટેલ અને જૈમીના પટેલનો કોઈ સંપર્ક નથી.
ADVERTISEMENT
43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત
નેપાળમાં મહાવિનાશક પૂર આવ્યું છે. કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ઘણા યાત્રાળુઓ ફસાયા હતા. ગુજરાતમાંથી પણ કેટલાક લોકો યાત્રાએ ગયા હતા જોકે તેમાં સલામત હોવાનું જણાવાઈ રહ્યું છે. કૈલાસ-માનસરોવર યાત્રાએ ગયેલા તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ખેડૂતો માટે ખુશખબર, કૃષિ સાધનોની ખરીદીના સમયમાં વધારો કરાયો, જીતુ વાઘાણીનું એલાન
ફ્રેન્ડશિપ બ્રિજ પસાર કર્યો પછી આવ્યું પૂર
ADVERTISEMENT
યાત્રાળુઓએ મંગળવારે સાંજે નેપાળ-ચીનનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો. બ્રિજ પાર કર્યાના આશરે 8 કલાક બાદ વિસ્તારમાં અચાનક વિનાશક પૂર આવ્યું હતું. પૂરના પાણીમાં ફ્રેન્ડશિપ બ્રિજ તણાઈ ગયો હોવાના અહેવાલ છે. યાત્રાળુઓ નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા હોવાની માહિતી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો