આધાર કાર્ડનો ઉપયોગ આજના સમયમાં સિમ ખરીદવાથી લઈને બેંકમાં ખાતું ખોલવા સુધી કરવામાં આવે છે. ઉપરાંત હવે લોકોની વ્યક્તિગત માહિતી આ કાર્ડ સાથે જોડાયેલી છે.આધારકાર્ડની વિગતો લીક ન થાય તે માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) એ એક સુવિધા લોન્ચ કરી છે.
આધારકાર્ડ જાતે જ કરી શકાશે લોક અને અનલોક
UIDAI એ લોન્ચ કરી નવી સુવિધા
કાર્ડ ધારકો તેનો ઉપયોગ કરીને આધાર નંબરને લોક અથવા અનલોક કરી શકેશે.તમારો આધાર કાર્ડનો ડેટા વધુ સુરક્ષિત થઇ જશે.આધારકાર્ડની છેતરપિંડીની ઘટનાઓ પર પણ અંકુશ આવશે. આ સુવિધા લોકની જેમ કામ કરશે જેને તમારા સિવાય કોઇ ખોલી નહીં શકે.
કાર્ડ ધારકના ફોનમાં આવેલ OTP થી થશે કાર્ડ અનલોક
ઉપરાંત હેકર્સ પણ જયાં સુધી કાર્ડધારક પરમિશન ન આપે ત્યાં સુધી આધાર ચકાસણી કરી શકશે નહીં. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કાર્ડધારકે તેમના રજિસ્ટર નંબરથી આધાર નંબરને લોક કરવા એસએમએસ મોકલવો પડશે. સૌથી પહેલા આધાર નંબરને લોક કરવા માટે કાર્ડ ધારકે 1947 નંબર પર GETOTP લખીને એસએમએસ મોકલવાનો રહેશે. આ પછી કાર્ડ ધારકના ફોન પર ઓટીપી આવશે.
રજિસ્ટર મોબાઇલ નંબર કાર
ઓટીપી મળ્યા બાદ કાર્ડ ધારકએ ફરીથી LOCKUID અને તે પછી આધાર નંબર લખીને 1947 પર મેસેજ મોકલવો પડશે. તે પછી આધાર નંબર લોક થઈ જશે. આધાર નંબરને અનલોક કરવા માટે કાર્ડ ધારકે તેના રજિસ્ટર મોબાઇલ નંબરથી GETOTP આધાર નંબર લખીને ઓટીપી મેળવવાનો રહેશે.આ મેસેજ પણ 1947 પર કરવાનો રહેશે.ઓટીપી મેળવ્યા પછી UNLOCKUID આધાર નંબર અને એટીપી લખ્યા બાદ મેસેજ મોકલ્યા પછી આધાર નંબર અનલોક થઇ જશે.