દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને બમ્પર ભેટ આપી છે. જો તમારી પાસે આ બેંકનું ખાતુ છે તો હવે તમને મોટો લાભ થશે. બેંકના આ પગલા બાદ જે કામને કરતા કલાક લાગતા હતા તે હવે મિનિટોમાં પતી જશે. ખરેખર બેંકે ઑનલાઈન ફંડ ટ્રાન્જેક્શનના નિયમ બદલી નાખ્યા છે. આ નિયમ હેઠળ હવે તમારે કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા છે તો તમારે તે વ્યક્તિના એકાઉન્ટને એડ કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે પૈસા ટ્રાન્સફર કરવા માટે જો તમે કોઈને એડ કરો છો તો ઓછામાં ઓછા અડધા કલાક બાદ જ તે વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.
‘ક્વિક ટ્રાન્સફર’ નામથી શરૂ કરી સુવિધા:
SBIએ આ માટે ‘ક્વિક ટ્રાન્સફર’ નામથી એક સુવિધા શરૂ કરી છે જે નેટ બેકિંગના ડેશબોર્ડમાં છે. આ નવી સુવિધા મુજબ જો તમે એવી વ્યક્તિને ઑનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા ઈચ્છો છો જેના ખાતા પણ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં છે તો તમારે તેના માટે તે વ્યક્તિની ડિટેઈલ બેનેફિશયરી તરીકે એડ કરવાની જરૂરીયાત નથી. તમે તેને બેનિફિશિયરીમાં એડ કર્યા વગર એક વખતમાં મહત્તમ 10 000 રૂપિયા અને એક દિવસમાં મહત્તમ 25 000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે.
આવી રીતે થશે સમયની બચત:
મહત્વનુ છે કે આ પહેલાની પ્રક્રિયા એવી હતી કે જો તમારે તમારા ખાતામાંથી કોઈ અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા હોય તો સૌથી પહેલા તેને બેનેફિશિયરી તરીકે જોડાતો હતો. તેના માટે તેનુ બેંક ખાતુ IFSE કોડ બેંકનુ સરનામુ વગેરે જેવી વિગતો ભરવી પડતી હતી અને અડધા કલાક બાદ પૈસા ટ્રાન્સફર થઈ શકતા હતાં. SBIની નવી સુવિધાથી આ કામ થોડી મિનિટોમાં થઈ જશે. અહીં તમને જણાવવાનું કે SBI દેશની સૌથી મોટી બેંક છે અને તેની પાસે સૌથી વધુ ખાતા છે. બેંકના આ સરાહનીય પગલાથી લગભગ 5 કરોડથી વધુ લોકોને ફાયદો મળશે.