બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 01:17 PM, 29 June 2026
1/7
મહાભારતમાં ઘણા એવા પ્રસંગો છે, જ્યાં વિવિધ પાત્રોએ એકબીજાને શ્રાપ આપ્યા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ શ્રાપોના પ્રભાવનો ઉલ્લેખ આજે પણ કલિયુગ સાથે જોડીને કરવામાં આવે છે. આ કથાઓ આપણને કર્મોના પરિણામ અને જીવનમાં યોગ્ય નિર્ણય લેવાનું મહત્વ સમજાવે છે. આવો જાણીએ મહાભારતના પાંચ પ્રસિદ્ધ શ્રાપ વિશે.
2/7
અર્જુન દિવ્ય અસ્ત્રોની પ્રાપ્તિ માટે સ્વર્ગલોકમાં ગયા હતા.ત્યાં અપ્સરા ઉર્વશી અર્જુન પર મોહિત થઈ ગઈ હતી.પરંતુ અર્જુને તેમને માતા સમાન માન આપ્યું, જેનાથી ઉર્વશી નારાજ થઈ ગઈ.ક્રોધમાં આવી તેમણે અર્જુનને નપુંસક થવાનો શ્રાપ આપ્યો, જે પછી અજ્ઞાતવાસ દરમિયાન અર્જુન માટે આશીર્વાદ સમાન સાબિત થયો.
3/7
મહાભારત યુદ્ધ બાદ માતા કુંતીએ ખુલાસો કર્યો કે કર્ણ તેમનો જ પુત્ર હતો.આ સત્ય જાણીને પાંડવો ખૂબ દુઃખી થયા કારણ કે તેમણે પોતાના જ ભાઈ સામે યુદ્ધ કર્યું હતું.યુધિષ્ઠિર આ વાતથી અત્યંત વ્યથિત થયા અને ક્રોધિત બન્યા.તેમણે શ્રાપ આપ્યો કે ભવિષ્યમાં કોઈ પણ સ્ત્રી લાંબા સમય સુધી કોઈ રહસ્ય છુપાવી શકશે નહીં.
4/7
પાંડવોના સ્વર્ગારોહણ પછી પરીક્ષિત હસ્તિનાપુરના રાજા બન્યા હતા.એક દિવસ જંગલમાં તેમણે ધ્યાનમાં લીન ઋષિ શમીક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.જવાબ ન મળતાં તેમણે ઋષિના ગળામાં મરેલો સાપ મૂકી દીધો.આ ઘટનાથી રોષે ભરાયેલા ઋષિપુત્રે પરીક્ષિતને શ્રાપ આપ્યો કે સાત દિવસમાં તક્ષક નાગના ડંખથી તેમનું મૃત્યુ થશે.
5/7
મહાભારત યુદ્ધ દરમિયાન અશ્વત્થામાએ છેતરપિંડીથી પાંડવોના પુત્રોની હત્યા કરી હતી.પછી તેમણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને વધુ વિનાશ સર્જવાનો પ્રયાસ કર્યો.શ્રીકૃષ્ણ તેમના આ કૃત્યથી ખૂબ ક્રોધિત થયા હતા. તેમણે અશ્વત્થામાને હજારો વર્ષ સુધી પૃથ્વી પર ભટકતા રહેવાનો અને દુઃખ સહન કરવાનો શ્રાપ આપ્યો.
6/7
એક ભૂલના કારણે નિર્દોષ ઋષિ માંડવ્યને કઠોર સજા આપવામાં આવી હતી.પછી તેમણે યમરાજને પૂછ્યું કે તેમને આ સજા શા માટે મળી.યમરાજે બાળપણની એક નાની ભૂલને તેનું કારણ ગણાવ્યું.આ જવાબથી અસંતોષ પામીને ઋષિ માંડવ્યએ યમરાજને મનુષ્ય તરીકે જન્મ લેવાનો શ્રાપ આપ્યો, જેના પરિણામે તેઓ વિદુર તરીકે જન્મ્યા.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ