બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રથયાત્રા પૂર્વે અમદાવાદને ગુનાખોરીથી મુક્ત કરવા પોલીસનું ખાસ અભિયાન, અસામાજિક તત્વો સામે કાર્યવાહી

અમદાવાદ / રથયાત્રા પૂર્વે અમદાવાદને ગુનાખોરીથી મુક્ત કરવા પોલીસનું ખાસ અભિયાન, અસામાજિક તત્વો સામે કાર્યવાહી

Kalpesh Kandoria

Last Updated: 03:02 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગેરકાયદે હથિયારો, દારૂના વેપાર, હિસ્ટ્રીશીટરો અને અસામાજિક તત્વો સામે શહેરવ્યાપી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં કડક નજર રાખીને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સઘન કાર્યવાહી કરી રહી છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હવે નજીક આવી રહી છે ત્યારે શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને અસામાજિક તત્વો માહોલ બાગી ન શકે તે માટે શહેરભરમાં ગુનાખોરી વિરોધી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

શહેરમાં ક્રાઈમ બ્રાંચ, પીસીબી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદે હથિયારો, દારૂનો વેપાર, હિસ્ટ્રીશીટરો અને ગુનાઈત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સામે સતત કાર્યવાહી કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ લોકોની હિલચાલ પર સતત દેખરેખ રખાઈ રહી છે.

તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે જુહાપુરાના વિશાલા સર્કલ નજીકથી અયાઝ ઉર્ફે બાલા અનવરહુસેન શેખને એક દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી રથયાત્રા પહેલાં ગેરકાયદે હથિયારો સામે પોલીસનું કડક વલણ સ્પષ્ટ થયું છે.

બીજી તરફ ખોખરાના સૂર્યનગર વિસ્તારમાં દરોડા પાડી અશોક જાદવને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી અંદાજે 19 હજાર રૂપિયાનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. ગોમતીપુર વિસ્તારમાં પણ પોલીસે કાર્યવાહી કરીને સાગર ઉર્ફે ફાઈટર પરમાર પાસેથી 61 હજાર રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. ઈસનપુર પોલીસે જાહેર સ્થળેથી દારૂની 41 બોટલ કબજે કરીને ગેરકાયદે દારૂનાં વેચાણ સામે કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુરા વિસ્તારમાં જ્યુબિલી મિલ પરિસરમાંથી 40 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રાણીપ પોલીસે કેશવનગર વિસ્તારમાંથી 108 લીટર દેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો- દરિયાપુરમાં બબાલ, રથયાત્રાના રૂટ પર પથ્થરમારો, પોલીસે કરી કાર્યવાહી

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ ગુનામાં સંડોવાયેલા લોકોની યાદી તૈયાર કરીને તેમને પોલીસ મથકે બોલાવવામાં આવી રહ્યા છે અને કાયદાનું પાલન કરવા માટે કડક ચેતવણી આપવામાં આવી રહી છે. જરૂર જણાય ત્યાં હદપાર અને અટકાયતી પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. રાત્રિ દરમિયાન વાહન તપાસ, પગપાળા પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુ શહેરના માર્ગો ઉપર ઊમટી પડતા હોય છે. આવી સ્થિતિમાં પોલીસ દ્વારા અગાઉથી જ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ શાખાને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદ પોલીસનું માનવું છે કે ગુનાખોરી સામેની કડક કાર્યવાહી અને અસામાજિક તત્વો પર સતત નજર રાખવાના કારણે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં સફળતા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rath Yatra 2026 Ahmedabad crime crackdown Ahmedabad Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ