બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / બોરડી સમઢીયાળામાં રણુજા મંદિરના મહંતનો આપ*ઘાત, બીમારીથી પીડાતા હોવાનું ખૂલ્યું

જેતપુર / બોરડી સમઢીયાળામાં રણુજા મંદિરના મહંતનો આપ*ઘાત, બીમારીથી પીડાતા હોવાનું ખૂલ્યું

Priykant Shrimali

Last Updated: 02:06 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahant Karshandas Bapu : સ્યુસાઇડ નોટ રણુજા મંદિરના મહંત કરશનદાસ બાપુએ કર્યા મોટા ખુલાસા, જાણો શું છે સમગ્ર મામલો ?

Mahant Karshandas Bapu : જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રણુજા મંદિરના મહંત કરશનદાસ બાપુએ જીવન ટૂંકાવ્યાની ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. મંદિર નજીક આવેલી વાડીના કૂવામાંથી તેમનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

શું છે સમગ્ર ઘટના ?

પ્રાથમિક માહિતી મુજબ ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. તેમાં મહંત કરશનદાસ બાપુએ છેલ્લા 47 વર્ષથી રણુજા મંદિરમાં સેવાપૂજા કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું સામે આવ્યું છે. નોંધમાં તેમણે પોતાના જીવનપ્રવાસ અંગે કેટલીક વ્યક્તિગત વિગતો પણ લખી હોવાનું જાણવા મળ્યું છે.

સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ તેઓ મૂળ મીઠાપુરના રહેવાસી અને વરીયા કુંભાર જ્ઞાતિમાં જન્મેલા હતા. લાંબા સમયથી મંદિર સાથે જોડાયેલા રહી ધાર્મિક સેવા આપતા હતા. છેલ્લા લગભગ 10 વર્ષથી તેઓ ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા અને સારવાર દરમિયાન થતી શારીરિક પીડા તથા પરિસ્થિતિઓને કારણે આ પગલું ભર્યાનો ઉલ્લેખ સામે આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : 30 સેકન્ડમાં 30 લાખના હીરા-સોનું ચોરી ફરાર થયો ચોર, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

આ સાથે સ્યુસાઇડ નોટમાં મંદિરના નવા મહંત તરીકે વડલ હનુમંતની સેવા કરતા રામદાસ બાપુને જવાબદારી સોંપવાનું કહ્યું હોવાનું પણ ખૂલ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jetpur News Mahant Karshandas Bapu Bordi Samadhiyala
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ