બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / Notification published regarding the examination of Deputy Section Officer Naib Mamlatdar
Kishor
Last Updated: 05:47 PM, 13 October 2023
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 15 ને રવિવારના રોજ પરીક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોબી શાળાઓમાં પરીક્ષા યોજાશે છે. ત્યારે તમામ કેન્દ્રો ખાતે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે અને પારદર્શિતા સાથે સાથે યોજાઈ તથા કોઈ ગોબચારી સામે ન આવે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરાનામું પ્રસિદ્ધ કરાયું છે.
ઉલ્લંઘન બદલ આકરી કાર્યવાહી
તા. 15 ઓક્ટોબર 2023 રવિવારના રોજ 11 થી 1 વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર ના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર તથા પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા ઉપરાંત પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા અને પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થી શિક્ષકોએ મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા ઉપરાંત પરીક્ષા સ્થળમાં ગેરકાયદે પ્રવેશ સહિત 8 વસ્તુઓ પર પ્રતિબંધિત હુકમો જાહેર કર્યા છે. જેના ઉલ્લંઘન બદલ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે
નિયમના ઉલ્લંઘન બદલ ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ના અધિનિયમની કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તારીખ 15 ના રોજ સવારે 9:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે જેમાં પોલીસ દળ તથા હોમગાર્ડના જવાનો અને પરીક્ષા અનુસંધાને ફરજમાં રહેલા અધિકારીએ કર્મચારીઓને આ નિયમ લાગુ પડતો નથી. તેમ જાહેરનામાના અંતમાં જણાવાયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime