ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
અહીં એક-બે નહીં પણ 40 વર્ષથી નોનસ્ટોપ રામાયણનો પાઠ કરવામાં આવે છે. છેલ્લા ચાર દાયકાથી યજ્ઞશાળા મંદિરમાં દરેક ક્ષણે રામાયણનો પાઠ કરવામાં આવે છે.
40 વર્ષથી નોનસ્ટોપ રામાયણનો પાઠ ચાલી રહ્યો છે
ADVERTISEMENT
આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરમાં રામાયણનો પાઠ કરાવવા માટે આગામી એક વર્ષ માટે એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવ્યું છે.
અયોધ્યાથી આવેલા બાબાએ શરૂઆત કરી
ADVERTISEMENT
આસ્થાની આ અદ્ભુત વાર્તા 15મી ડિસેમ્બર 1982ના રોજ શરૂ થઈ હતી. ત્યારે આ મંદિરમાં એક વટવૃક્ષ નીચે બજરંગબલીની પ્રતિમા હતી. મથુરાથી આવેલા એક બાબા, જેનું નામ મૌની બાબા હતું, તેણે અહીં રામાયણ પાઠ શરૂ કર્યો. મૌની બાબા ન તો જમીન પર બેઠા કે ન સૂતા. તે દોરડા પર રહેતા હતા. એક મહિના પછી એક દિવસ, બાબા અચાનક ક્યાંક ગયા અને પાછા ન આવ્યા. ત્યારથી અહીંની સમિતિએ રામાયણનો પાઠ સંભાળ્યો છે, જે આજ સુધી અવિરત ચાલી રહ્યો છે. અહીં શાશ્વત દીવો પ્રગટાવવામાં આવે છે.
મહિલા અથવા પુરૂષ કોઈપણ કરી શકે છે પાઠ
ADVERTISEMENT
મંદિર આયોજન સમિતિના જણાવ્યા પ્રમાણે રામાયણના પાઠમાં કોઈપણ પ્રકારનું વિધ્ન ન આવે તે માટે કાશીના 5 પંડિતો સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. રામાયણના પાઠમાં મહિલા અથવા પુરુષ કોઈપણ સામેલ થઈ શકે છે. પરંતુ તેમણે કમિટિની પહેલા મંજૂરી લેવી ફરજીયાત છે. જો કોઈ રામાયણનું બુકિંગ કરાવવા ઈચ્છે તો તેઓ 24 કલાક માટે 1100 રૂપિયા દાન કરીને બુકિંગ કરાવી શકે છે. જો કે, તેના માટે 10 દિવસ પહેલા કમિટિને જાણ કરવી પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ