બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બેસ્લીએ એપ્રિલમાં યુએન સિક્યુરિટી કાઉન્સિલને આપેલી ચેતવણીને યાદ કરતા કહ્યું કે જ્યારે વિશ્વ કોરોના વાયરસ મહામારીથી પીડાઈ રહ્યું હતું, ત્યારે વિશ્વ ભૂખમરાની આરે પણ હતું. જો આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો થોડાં મહિનામાં તે બાઇબલમાં ઉલ્લેખિત દુષ્કાળ જેવા ઘણા દુષ્કાળને જન્મ આપી શકે છે. તેમણે કહ્યું કે આપણે આને 2020માં ટાળવામાં સમર્થ હતા, કેમ કે વૈશ્વિક નેતાઓએ નાણાં, પ્રોત્સાહન પેકેજ, લોનને લઈને સહાય કરી હતી.
બેસ્લી એ કહ્યું, 'વિશ્વભરમાં ફરી કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે. ઓછી અને મધ્યમ આવકવાળા દેશોની અર્થવ્યવસ્થા બગડી રહી છે. ફરી એકવાર લોકડાઉન અને શટડાઉન જેવી સ્થિતિ બની રહી છે, પરંતુ તેમણે કહ્યું કે 2020માં જે પૈસા મળ્યા હતા, તે 2021માં નહીં મળે. જેથી તેઓ નોબેલનો ઉપયોગ નેતાઓને વ્યક્તિગત રૂપે મળવા અને સંસદસભ્યો સાથે વાત કરવા અને આ દુ: ખદ ઘટનાને પહોંચી વળવાની રીતો પર ચર્ચા કરવા માટે કરી રહ્યાં છે.
ADVERTISEMENT
બેસ્લીએ કહ્યું કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે દુષ્કાળને રોકવા માટે આવતા વર્ષે 5 અબજ ડોલરની જરૂર પડશે. આ સાથે, સમગ્ર વિશ્વમાં 10 અબજ ડોલરની જરૂર પડશે. જેથી કુપોષિત બાળકો અને સ્કૂલ લંચ માટે એજન્સીના વૈશ્વિક કાર્યક્રમો યોગ્ય રીતે થઈ શકે. એપ્રિલમાં, બેસ્લીએ કહ્યું હતું કે 13.5 કરોડ લોકોને ભૂખમરાનો સામનો કરવો પડશે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વિશ્લેષણ સૂચવે છે કે 2020ના અંત સુધીમાં 30 કરોડ લોકો ભૂખમરાના શિકાર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.