૨૪ ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રિને લઈને શિવભક્તો માટે વર્ષમાં એક જ વાર આવતો આ અલૌકિક પર્વ શિવજીની આરાધના માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે. ત્યારે સુરત શહેરમાં 11 લાખ રૂદ્રાક્ષમાંથી બનેલ મહાશિવલિંગ ભક્તોના દર્શનાર્થે શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તાર ખાતે મુકવામાં આવનાર છે. આ શિવલિંગ 15 ફૂટ ઊંચુ હશે જેમા 11 લાખ પાંચમુખી રૂદ્રાક્ષ લગાવવામાં આવ્યા છે. અગાઉ ત્રણ વખત મહાશિવલીંગને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળી ચુક્યું છે.