આમ તો ઉધરસ કોઈ પણ ઋતુમાં થઇ શકે છે. પરંતુ જ્યારે સુકી ઉધરસ થાય છે ત્યારે આપણને ખુબ જ હેરાન કરે છે. સામાન્ય રીતે એકાએક બદલાઈ જતી સિઝનમાં તરત જ શરદી ખાંસી થઇને ઉધરસ થઇ જવાનો ડર રહતો હોય છે. જોકે લોકોને બદલાતી સિઝનમાં ખબર જ નથી પડતી કે શું કરવું જોઈએ કે જેનાથી ઉધરસથી છુટકારો મળે. ગરમી શરૂ થતાની સાથે જ ઠંડુ પાણી પીતા જ બાળકોનું ગળું પકડાઈ જાય છે મોટા લોકો પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ ઝડપથી આ સિઝનલ શરદી-ખાંસી અને ઉધરસના ચક્કરમાં ફસાઈ જાય છે. આમ જો તમે ઉધરસ-ખાસીમાંથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો આ ઘરગથ્થુ ઉપાયો તમારા માટે ખૂબ જ કામના છે.
કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.
લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
રાત્રે થોડાક શેકેલો ચણા ખાઈ ઉપર પાણી વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.
અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.
થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી મોટી ઉધરસ (હુ પિંગ) કફ મટે છે.
લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.