નેપાળના કાઠમંડુથી કાભ્રેપલાંચોક જિલ્લામાં જઈ રહેલી બસ દુર્ઘટનાગ્રસ્ત થતા 37 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં 40થી વધારે લોકોના ઘાયલ થવાની સંભાવના છે. આ અકસ્માતમાં ગંભીર રૂપે ઘાયલ 26 લોકોને હેલિકોપ્ટરની મદદથી કાઠમાંડુ લઈ જવામાં આવ્યા હતા.
જાણકારી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે મુસાફરોથી ભરેલી બસ નેપાળની રાજધાની કાઠમાંડૂથી રવાના થઈ. મહત્વનું છે કે લગભગ 65 કિલોમીટર દૂર પહાડ પર ચઢતા સમયે અસંતુલિત થઈને બસ રસ્તા પરથી લગભગ 50 મીટર નીચે ખાઈમાં પડી ગઈ હતી. તે સમયે બસમાં લગભગ 85 મુસાફરો સવાર હતા.
એક અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ઘટનાને પ્રત્યક્ષ જોનાર વ્યક્તિના મુજબ હજુપણ કેટલાક યાત્રીઓ બસની નીચે દબાયેલા છે. મોસમની ખરાબીના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. જો કે ઘટનાને જોતા મૃત્યુઆંક વધવાની સંભાવના છે.