વરસાદની ઋતુમાં મચ્છરોનો આતંક વધી જાય છે. ઘરમાં તમામ પ્રકારના લિક્વીડ કે મચ્છરોની અગરબત્તીનો ઉપયોગ કરો પણ તેનો પ્રભાવ મચ્છરો પર પડતો નથી. એવામાં મચ્છરોના કરડવાથી તમને ઘણા પ્રકારના રોગ થવાનો ખતરો રહે છે. પરંતુ અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ જણાવશું જે કરવાથી મચ્છરો ઘરમાંથી ભાગી જશે.
- નારિયળના તેલમાં લવિંગ મિલાવીને તમારી ત્વચા પર લગાવો આમ કરવાથી મચ્છરો તમારી પાસે નહીં આવે.
- તુલસીના પાનનો રસ શરીર પર લગાવવાથી મચ્છરો તમને નહીં કરડે.
- સંતરાના સુકી છાલને કોલસા સાથે સળગાવવાથી મચ્છરો ભાગી જશે.
- લીંબુને કાપીને તેમા લવિંગ મિલાવી પથારીની નજીક રાખવાથી મચ્છર ભાગી જશે.
- ઓલ આઉટની ખાલી બોટલને કાપીને તેમાં લીમડાનું તેલ અને કપૂર ભરીને રાખવાથી મચ્છર ભાગી જશે.