દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને જીવનમાં ધન-સંપત્તિ મળે છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો અનેક ઉપાય કરે છે, પરંતુ તે છતાં અમુક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે આર્થિક સંકટ ઊભું થાય છે.
આ ભૂલો કરશો તો મા લક્ષ્મી થઈ જશે નારાજ
પૈસા રાખવામાં આ ભૂલ તમને કરી દેશે કંગાળ
કરન્સીને લગતી આ ભૂલો ક્યારેય ન કરવી
હકીકતમાં દેવી લક્ષ્મીની પૂજા-અર્ચના સાથે તેનાથી જોડાયેલા પ્રતીકોનું સન્માન કરવું જરૂરી છે. આજે અમે તમને એવી જ કેટલીક પદ્ધતિઓ અને આદતો વિશે જણાવીશું, જેને અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા મળે.
આ વાતોનું રાખો ધ્યાન
ઘણાં લોકો નોટને વાળીને અથવા તો પર્સમાં જગ્યા ન હોય તો પણ ભરી રાખે છે. આવી ભૂલ પૈસા રોકવા અને આર્થિક નુકસાન કરાવે છે. દિવાળી પર મા લક્ષ્મીની પૂજા કરતી વખતે નોટ અને સિક્કા પણ રાખવામાં આવે છે, કારણ કે તે લક્ષ્મીજીનું જ પ્રતીક માનવામાં આવે છે. જેથી યોગ્ય રીતે નોટો ન રાખવાથી પણ લક્ષ્મીજી નારાજ થઈ શકે છે. જેથી પર્સમાં હમેશાં વ્યવસ્થિત રીતે કરન્સી રાખવી.
ઘણાં લોકો પૈસા ગણતી વખતે અંગૂઠામાં થૂંક લગાડે છે, જેથી ચોંટેલી નોટો અલગ થઈ શકે. પણ તમને જણાવી દઈએ કે આવી ભૂલ ઘરમાં દરિદ્રતા લાવે છે, કારણ કે આવું કરવું ધનનું અપમાન છે. આ સિવાય જે લોકો આ રીતે નોટો ગણે છે તે બીમારીઓનું પણ કારણ બને છે, કારણ કે નોટો ઘણાં લોકોના હાથમાંથી પસાર થઈને તમારી પાસે આવે છે. એવામાં નોટો પર વાયરલ અને ગંદકી ચોંટેલી હોય છે જે તમારા શરીરમાં જાય છે.
પર્સમાં પૈસા રાખવાની જગ્યા પર ક્યારે બિલ, કેશ ટ્રાન્ઝેક્શનની રિસીપ્ટ, નાકામા કાગળ ન રાખવા. બિલ પર્સમાં રાખવા વાસ્તુ પ્રમાણે ખરાબ માનવામાં આવે છે.