નેપાળ સરકાર ભારત સાથે મધુર સંબંધ ઈચ્છે છે. આ કારણે પીએમ મોદીના વિરોધમાં પ્રદર્શન કરનારાને અહીંની સરકારે કડક ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે મિત્ર દેશના સમ્માનને નુકસાન પહોંચાડનારું કોઈ કામ ન કરે.
નેપાળમાં જુલાઈની ઘટનાને લઈને થયું પ્રદર્શન
નેપાળી નાગરિકના નદીમાં ડૂબવાથી નારાજ છે લોકો
ભારત વિરોધી પ્રદર્શનથી નેપાળ સરકાર નારાજ
નેપાળે પીએમ મોદીના વિરોધમાં પ્રદર્શન કરનારાને કડક ચેતવણી આપી છે. નેપાળ સરકારે રવિવારે પોતાના નાગરિકોને કહ્યું કે મિત્ર દેશના સમ્માનને નુકસાન થાય તેવું કોઈ પણ નિંદનીય કે અપમાનજનક કામ ન કરે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં કેટલાક લોકો ભારતના વિરોધમાં પ્રદર્શન કરીને પીએમ મોદીના સ્ટેચ્યૂને સળગાવી રહ્યા હતા આ પછી અહીંની સરકારે નાગરિકોને કડક ચેતવણી આપી છે.
Nepal Govt has taken measures against those who protested against PM Modi in Kathmandu, with all accused to be sent to Jail. The New Govt has learned from the lessons of Past govts.
યુવા સંગઠનોએ કર્યો હતો Protest
નેપાળના ગૃહમંત્રાલયની તરફથી જાહેર નિવેદનમાં કહેવાયું હતું કે થોડા દિવસો પહેલા દેશના પ્રધાનમંત્રીની છબિને અસર કરે તેવા સૂત્રોચ્ચાર કરાયા હતા અને સાથે પ્રદર્શન તેમજ પૂતળઆ સળગાવવાની ઘટના પણ સામે આવી છે. ગૃહ મંત્રાલયે નિવેદનમાં નેતાની ઓળખ છતી કરી નથી પણ તેમનું આ નિવેદન સત્તારૂઢ ગઠબંધન, વિપક્ષી દળો સાથે જોડાયેલા કેટલાક વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનની તરફથી થયેલા પ્રદર્શન બાદ આવ્યું છે.
મૈત્રી સંબંધો રાખવાની ઈચ્છા
પ્રદર્શનકારીઓએ જુલાઈમાં ભારતની સાથેની સીમા પર મહાકાળી નદીને પાર કરતા નેપાળી યૂવકના ડૂબવાની ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતુ અને સાથે પીએમ મોદીનું પૂતળું સળગાવ્યું હતું. નિવેદનમાં કહેવાયું છે કે નેપાળ સરકારની ઈચ્છા દરેક મિત્ર દેશની સાથે મૈત્રી સંબંધો રાખવાની છે અને સાથે તેઓ પ્રતિબદ્ધ છે કે આવી કોઈ પણ ક્રિયાઓ પર રોક લગાવવામાં આવે. જેનાથી રાષ્ટ્રિય હિતને નુકસાન થઈ શકે છે. અમે દરેકને અનુરોધ કરીએ છીએ કે એવું કોઈ કાર્ય ન કરો જેનાથી મિત્ર દેશના માન સમ્માનને નુકસાન પહોંચી શકે.
Government ઉઠાવશે આ પગલા
ગૃહમંત્રાલયે કહ્યું કે નેપાળની પરંપરા પડોશી દેશની સાથે વિવાદને આપસી વાતચીતથી ઉકેલવાની કોશિશ કરી રહી છે. ભવિષ્યમાં આ રીતે કોઈ પણ વિવાદને ઉકેલવામાં આવશે. સાથે ચેતવણઈ આપતા કહ્યું કે ગૃહમંત્રાલય પડોશી દેશને નિશાન બનાવનારી ગતિવિધિને રોકવા માટે કાર્યવાહી કરશે અને એ લોકોને સજા આપશે જે આ ગતિવિધિમાં સામેલ થશે.
આ ઘટના પર દેખાડ્યો રોષ
કહેવાય છે કે બયાસ ગ્રામીણ નગરપાલિકાના 33 વર્ષના જયસિંહ ધામી મહાકાલી નદી અસ્થાયી રોપવેના માધ્યમથી પાર કરી રહ્યા હતા પણ ભારત - નેપાળની સીમા સુરક્ષામાં તૈનાત સશસ્ત્ર સીમા બળના જવાનને જોઈને નદીમાં કૂદી ગયા હતા. ભારતીય અધિકારીઓના અનુસાર ધામી ગેરકાયદેસર રીતે નેપાળના ઘારચૂલાથી ભારતના ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લાના ગાસ્કૂ આવી રહ્યા હતા. આ ઘટનાની તપાસ કરી રહેલી નેપાળી તપાસ સમિતિએ રિપોર્ટમાં કહ્યું કે આ ઘટના ભારતીય સુરક્ષા કર્મીઓની હાજરીમાં થઈ હતી.