બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / "હું પદ છોડવા તૈયાર, કોઇપણને બનાવી દો શિવસેના અધ્યક્ષ...", પાર્ટીમાં ફૂટ વચ્ચે ઉદ્ધવએ કરી રાજીનામાની ઓફર
Last Updated: 10:04 PM, 19 June 2026
શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું હતું કે, "જો પક્ષના કાર્યકરો અને નેતાઓને લાગે કે તેઓ શિવસેનાના પ્રમુખ પદ માટે યોગ્ય નથી, તો તેઓ પદ છોડવા તૈયાર છે. તેમણે કહ્યું કે, 'હું કોઈપણ યોગ્ય વ્યક્તિને શિવસેના પ્રમુખ બનાવવા તૈયાર છું. હું સંઘર્ષમાંથી પાછળ હટવાનો નથી, પરંતુ જે દિવસે તમને લાગશે કે હું આ જવાબદારી માટે યોગ્ય નથી, તે જ દિવસે હું પદ છોડી દઈશ.'"
ADVERTISEMENT
શિવસેના (UBT) ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે પક્ષના કાર્યકરોને સંબોધન કર્યું હતું. બેઠક દરમિયાન તેમણે કહ્યું હતું કે, "કેટલાક લોકો એવું વિચારી રહ્યા હશે કે શિવસેના વિભાજીત થઈ ગઈ છે અને રાજકીય પડકારો પછી તેઓ નિરાશ થશે, પરંતુ એવું થશે નહીં." તેમણે કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં હાર માનશે નહીં. "ઓપરેશન તોડવા" નો ઉલ્લેખ કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો તેમના પર આદેશ આપવાનો આરોપ લગાવે છે. તેમણે યાદ કરાવ્યું કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ પહેલેથી જ કહ્યું હતું કે જે લોકો પાર્ટી સાથે દગો કરે છે તેમને રાજકીય જવાબ આપવો જોઈએ.
તેમણે કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષની સફળતા ચૂંટણી પરિણામો દ્વારા નક્કી થવી જોઈએ. કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગેના પ્રશ્નોના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે જો શિવસેના 30 વર્ષ સુધી ભાજપ સાથે રહી પણ તેમાં વીલય નથી થઇ, તો કોંગ્રેસમાં વિલય થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમણે દાવો કર્યો કે ભાજપ પોતે રાજ્યમાં શિંદે જૂથથી પરેશાન છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ PM Modi / 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા... પીએમ મોદીએ પેરિસમાં જણાવ્યું 12 વર્ષમાં કેટલું બદલાયું ભારત
ADVERTISEMENT
કોંગ્રેસ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભૂતકાળમાં બંને પક્ષો વચ્ચે મતભેદો રહ્યા છે, પરંતુ કોંગ્રેસે ક્યારેય "માતોશ્રી"નું અપમાન કર્યું નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસે પોતાના વચનો પાળ્યા છે. તેમણે ભાજપ પર પણ નિશાન સાધતા કહ્યું કે શિવસેનાનું સમર્થન ના મળ્યુ હોત તો ભાજપ ઘણા સમય પહેલા જ ખતમ થઈ ગયું હોત. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે જો પાર્ટીના કાર્યકરોને લાગે છે કે તેઓ શિવસેનાના પ્રમુખ પદ માટે લાયક નથી, તો તેઓ પદ છોડવા તૈયાર છે, પરંતુ સંઘર્ષથી પાછળ હટશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.