બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં બે ચાદર કેમ અપાય છે? તમને પણ નહીં ખબર હોય આ કારણ, સરકારે સંસદમાં કર્યો હતો ખુલાસો
Last Updated: 12:29 PM, 1 August 2026
Train Two Bedsheet Mystery : ટ્રેનના AC કોચમાં મુસાફરી દરમિયાન મળતા બેડરોલમાં બે ચાદર શા માટે આપવામાં આવે છે? મોટાભાગના મુસાફરો એક ચાદર પાથરે છે અને બીજી ઓઢી લે છે અથવા તેનો અલગ રીતે ઉપયોગ કરે છે. પરંતુ રેલવે મંત્રાલયે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે આ બંને ચાદરનો હેતુ અલગ-અલગ છે. જો તમે અત્યાર સુધી બંને ચાદરનો ઉપયોગ આવી જ રીતે કરો છો, તો શક્ય છે કે તમને સાચી રીત નથી ખબર.
ADVERTISEMENT
રેલવે મંત્રાલયે સંસદમાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું છે કે ભારતીય રેલવે AC ક્લાસના દરેક મુસાફરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બેડરોલ ઉપલબ્ધ કરાવે છે. દરેક બેડરોલ કિટમાં બે ચાદર, એક તકિયાનો કવર, એક ટુવાલ અને એક ધાબળો આપવામાં આવે છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, એક ચાદર સીટ પર પાથરવા માટે હોય છે, જ્યારે બીજી ચાદર ધાબળાની નીચે ઓઢવા માટે હોય છે, જેથી ધાબળો સીધો શરીરના સંપર્કમાં ન આવે.
ADVERTISEMENT
રેલવેના જણાવ્યા અનુસાર, દરેક ટ્રિપ બાદ ચાદર, તકિયાનો કવર અને ટુવાલ ધોઈને ફરી આપવામાં આવે છે. પરંતુ ધાબળો દરેક મુસાફરી પછી ધોવાતો નથી. તેથી મુસાફરોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ધાબળા અને શરીર વચ્ચે બીજી ચાદરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
મુસાફરોનો અનુભવ વધુ સારો બનાવવા માટે રેલવેએ નવી પહેલ શરૂ કરી છે. કેટલીક ટ્રેનોમાં હવે ધાબળા સાથે બ્લેન્કેટ કવર પણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે અલગથી ચાદર ધાબળાની નીચે રાખવાની જરૂર નહીં પડે. હાલમાં ઉત્તર પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો તેમજ કામાખ્યા-હાવડા વંદે ભારત સ્લીપર ટ્રેનમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. રેલવેના જણાવ્યા અનુસાર મુસાફરો તરફથી આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ટ્રેનમાં હવે વધુ સામાન લઈ જવું થશે સરળ! IRCTCની નવી ઓનલાઈન લગેજ બુકિંગ સેવા શરૂ
ADVERTISEMENT
રેલવે મંત્રાલયે બેડરોલ બદલવાની સમયમર્યાદા પણ જાહેર કરી છે.
ADVERTISEMENT
રેલવેનું કહેવું છે કે બેડરોલની સફાઈ માટે તમામ મશીનાઇઝ્ડ લૉન્ડ્રીમાં 'વ્હાઇટો-મીટર' દ્વારા ધોવાણની ગુણવત્તા ચકાસવામાં આવે છે. ઉપરાંત લૉન્ડ્રીની કામગીરી પર નજર રાખવા માટે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જો તમે આગામી વખત AC કોચમાં મુસાફરી કરો, તો યાદ રાખજો... એક ચાદર સીટ પર પાથરો અને બીજી ધાબળાની અંદર રાખીને જ ઓઢો. રેલવે અનુસાર આ જ તેનો સાચો અને સ્વચ્છ ઉપયોગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.