બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 48 વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં કેમ રિસર્ચ કરવા પહોંચી RBIની ટીમ?

નેશનલ / 48 વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં કેમ રિસર્ચ કરવા પહોંચી RBIની ટીમ?

Ajitsinh Jadeja

Last Updated: 04:25 PM, 25 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Odisha: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના ખજાનાની ગણતરીનો શુભ સમય 48 વર્ષ પછી બુધવારે બપોરે 12:09 વાગ્યે શરૂ થયો.

Odisha: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના ખજાનાની ગણતરીનો શુભ સમય 48 વર્ષ પછી બુધવારે બપોરે 12:09 વાગ્યે શરૂ થયો. આ પ્રક્રિયામાં મંદિરના દાગીના, જેમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો સમાવેશ થાય છે, તેની યાદી તૈયાર કરવામાં આવશે.

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના ખજાનાનું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. ખજાનામાં સોનું, ચાંદી, હીરા અને કિંમતી પથ્થરોના ભંડારને લઇ હંમેશા રહસ્ય રહ્યુ છે. હવે બુધવારે બપોરે 12 વાગ્યાથી ખજાનામાં શું અને કેટલું છે તેની યાદી તૈયાર કરવાનું કામ શરૂ થયું છે.

ગણતરી શુભ સમય દરમિયાન શરૂ

શુભ સમય બપોરે 12:09 થી 1:40 વાગ્યાની વચ્ચે હતો. મંદિરની પરંપરાઓને અનુસરીને આ સમય દરમિયાન ઝવેરાતની ગણતરી શરૂ થઈ હતી. અગાઉની ગણતરી 1978 માં થઈ હતી. 48 વર્ષ પછી હવે ફરીથી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. તે સમયે 128 કિલો સોનાના દાગીના અને 221 કિલો ચાંદીના દાગીના હતા. અધિકારીઓએ માહિતી આપી હતી કે જગન્નાથ મંદિરના ખજાનાના બહુપ્રતિક્ષિત સંગ્રહની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા 48 વર્ષ પછી બુધવારે શરૂ થઈ હતી.

ફક્ત પરંપરાગત પોશાકમાં મંદિરમાં પ્રવેશની મંજૂરી

શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર નિયુક્ત કર્મચારીઓ પરંપરાગત ધોતી અને ટુવાલ પહેરીને સવારે 11:30 વાગ્યે મંદિરમાં પ્રવેશ્યા હતા. યાદી પ્રક્રિયા બપોરે 12:09 થી 1:45 વાગ્યાના નિર્ધારિત શુભ સમયે શરૂ થઈ હતી. ફક્ત આ ગણતરી અને યાદી માટે અધિકૃત લોકોને જ અંદર જવાની મંજૂરી છે.

SOP તૈયાર કરવામાં આવી છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા દરમિયાન 12મી સદીના મંદિરમાં દૈનિક પૂજાને અસર થશે નહીં. ભક્તોને 'બહાર કથા' (મંદિરની અંદરનો બાહ્ય અવરોધ) થી દર્શન કરવાની મંજૂરી છે, જ્યારે આ દરમિયાન 'ભીત્ર કથા' વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધિત રહેશે. નિરીક્ષણ અને ગણતરી શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા તૈયાર કરાયેલ SOP અનુસાર કરવામાં આવશે. આ એસઓપીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ મુજબ ઇન્વેન્ટરીની શરૂઆત રોજની પૂજામાં વપરાતા ઘરેણાંથી શરૂ થશે, ત્યારબાદ રત્ન ભંડારના બાહ્ય ખંડ અને અંતમાં આંતરિક ખંડ ને ખોલવામાં આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ નવમીની ભવ્ય તૈયારી શરૂ, ભવ્ય ‘સૂર્ય તિલક’ સમારોહ માટે તૈયારીઓ તેજ

આરબીઆઈના અધિકારીઓ પણ હાજર

ઇન્સ્ટેન્ટરી દરમિયાન બે જેમોલોજિસ્ટ વસ્તુઓની ઓળખમાં મદદ કરી રહ્યા છે, અને દરેક વસ્તુની ડિજિટલ ફોટોગ્રાફી લેવામાં આવી રહી છે. સોનાના આભૂષણો પીળા કાપડમાં, ચાંદીના આભૂષણો સફેદ કાપડમાં અને અન્ય વસ્તુઓ લાલ કાપડમાં લપેટીને છ ખાસ તૈયાર કરેલા બોક્સમાં મૂકવામાં આવે છે. મંદિરના સેવકો, સરકારી બેંકોના અધિકારીઓ, રત્નશાસ્ત્રીઓ અને ભારતીય રિઝર્વ બેંકના પ્રતિનિધિઓ પણ આ સમગ્ર પ્રક્રિયામાં સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lord Jagannath Temple Odisha RBI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ