બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:17 PM, 27 November 2025
Assam Prohibits Polygamy: આસામ વિધાનસભાએ ગુરુવારે (27 નવેમ્બર, 2025) બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવા માટે એક બિલ પસાર કર્યું. આ કાયદા હેઠળ આવા ગુના કરવા બદલ કેટલાક અપવાદો સિવાય મહત્તમ 10 વર્ષની જેલની સજા થશે, પીડિતાને 1.40 લાખનું વળતર આપવાની પણ જોગવાઈ છે.
ADVERTISEMENT
આ બિલ અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણી અને છઠ્ઠી અનુસૂચિ હેઠળના વિસ્તારોના લોકોને કાયદાના દાયરામાં બાકાત રાખે છે. આસામ બહુપત્નીત્વ પર પ્રતિબંધ બિલ, 2025 પસાર કરતી વખતે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે કાનૂન ધર્મથી પર છે અને ઇસ્લામ વિરુદ્ધ નથી, જેમ કે એક વર્ગ આમ માને છે.

ADVERTISEMENT
કાયદા અનુસાર બહુપત્નીત્વ માટે દોષિત વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે. કોઈ વ્યક્તિ પોતાના હાલના લગ્ન છુપાવે છે અને બીજી વાર લગ્ન કરે છે તો તેને 10 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.
'હિન્દુઓ પણ બહુપત્નીત્વથી મુક્ત નહી'
ADVERTISEMENT
તેમણે કહ્યું, "હિન્દુઓ પણ બહુપત્નીત્વથી મુક્ત નથી. આ આપણી જવાબદારી પણ છે. આ બિલ હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય તમામ સમુદાયોના લોકોને આવરી લેશે." મુખ્યમંત્રીએ તમામ વિપક્ષી સભ્યોને વિનંતી કરી કે તેઓ તેમના સુધારા પાછા ખેંચે જેથી ગૃહમાં સંદેશ પહોંચે કે મહિલાઓને સશક્તિકરણ કરતું બિલ સર્વાનુમતે પસાર થઈ ગયું છે.

ADVERTISEMENT
ફરી સીએમ બન્યો તો અસમમાં લાગુ થસે સીસીસી
હિમંત બિસ્વા શર્માની વિનંતી છતાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) (CPI-M) એ તેમના સુધારા સૂચનો રજૂ કર્યા, જેને ધ્વનિમત દ્વારા નકારી કાઢવામાં આવ્યા. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિશે બોલતા મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કહ્યું કે જો તેઓ આવતા વર્ષે આસામ વિધાનસભાની ચૂંટણી પછી ફરીથી મુખ્યમંત્રી બનશે તો તે આસામમાં લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ દેવામાં ડૂબેલા વેપારીએ રચ્યું ઘોર ષડયંત્ર, લાશની જગ્યાએ પૂતળાના કર્યાં અગ્નિસંસ્કાર, પછી શું બન્યું
ADVERTISEMENT
તેમણે કહ્યું, "હું ગૃહને ખાતરી આપું છું કે હું મુખ્યમંત્રી તરીકે ફરી આવીશ તો નવી સરકારના પહેલા સત્રમાં UCC બિલ રજૂ કરવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે." તેમણે કહ્યું કે બહુપત્નીત્વ પર પ્રતિબંધએ યુસીસી લાગુ કરવા તરફનું એક પગલું છે.
મુખ્યમંત્રીએ કહ્યું, "ફેબ્રુઆરીના અંત સુધીમાં સત્ર દરમિયાન કપટથી કરાતા લગ્નો સામે એક બિલ રજૂ કરવામાં આવશે, તેથી અમે લવ જેહાદ વિશે જે કહ્યું હતું તે પૂર્ણ કરીશું." તેમણે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે સરકાર લવ જેહાદ પર પ્રતિબંધ મૂકશે અને તેની વિરુદ્ધ બિલ રજૂ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.