બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 78 વર્ષ પછી PMOનું નવું સરનામું, કર્તવ્ય ભવન-1 અને 2 રાષ્ટ્રને સમર્પિત, PM કરશે આજે ઉદ્ઘાટન

દિલ્હી / 78 વર્ષ પછી PMOનું નવું સરનામું, કર્તવ્ય ભવન-1 અને 2 રાષ્ટ્રને સમર્પિત, PM કરશે આજે ઉદ્ઘાટન

Published By: Priyankka Triveddi

Last Updated: 09:05 AM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PMO Ofiice: PMO કાર્યાલય હવે 'સેવા તીર્થ' માં ટ્રાન્સફર થશે. આજે શુક્રવારના રોજ PM નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે.

PMO Office Seva Teerth: પ્રધાનમંત્રી કાર્યાલય PMO આજે 'સેવા તીર્થ' માં ટ્રાન્સફર થશે અને પીએમ નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેનું ઉદ્ઘાટન કરશે. ઐતિહાસિક નોર્થ-સાઉથ બ્લોકને 'યુગે-યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય' (National Museum) માં બદલવામાં આવશે. જેમાં લગભગ 25-30 હજાર કલાકૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવશે.

આઝાદી પછી અત્યાર સુધી રાયસીના હિલ સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ઘણી યાદો જોડાયેલી છે. આઝાદી પછી આવેલી દરેક કસોટીઓથી લઈને સતત વિકાસ પામતા ભારત ની તે સાક્ષી રહયું છે. આ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પીએમ મોદી છેલ્લી કેબિનેટ બેઠક કરશે. જે પછી તેઓ સેવ તીર્થ ભવનમાં શિફ્ટ થશે. આજે 13 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ બપોરે 1:30 વાગ્યા આસપાસ પીએમ સેવા તીર્થનું ઉદઘતાં કરશે. જે પછી વડાપ્રધાન ઔપચારિક રીતે સેવા તીર્થ, કર્તવ્ય ભવન-1 અને 2 નું પણ ઉદઘતાં કરશે. સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ સેવ તીર્થમાં આયોજન કરવામાં આવેલા એક સાર્વજનિક કાર્યક્રમને પણ સંબોધન કરશે.

સેવાતીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય હશે. જે પહેલા અલગ અલગ જગ્યાએ હતા. 1900ના શરૂઆતના દશકમાં બ્રિટિશ આર્કિટેક્ટ હર્બર્ટ બેકરે બ્રિટિશ શાસનની જરૂરિયાત મુજબ તેને ડિઝાઇન કર્યું હતું.

નોર્થ-સાઉથ બ્લોકમાં બનશે મ્યુઝિયમ

સરકારની યોજકના છે કે નોર્થ સાઉથ બ્લોકની ઐતિહાસિક ઇમારતને યુગે યુગેન ભારત નેશનલ મ્યુઝિયમમાં બદલી દેવામાં આવે. અને વિશ્વ સ્તરના મ્યુઝિયમના રૂપમાં વિકસિત કરવામાં આવશે. જ્યાં ભારતની સભ્યતાને બતાવાશે. જેમાં લગભગ 25 થી 30 હજાર કલાકૃતિઓને પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ દુનિયાના સૌથી મોટા મ્યુઝિયમ માંથી એક હોવાની સંભાવના છે.

ઇતિહાસમાં એક નવો વળાંક

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે 13 ફેબ્રુઆરી પછી આઝાદ ભારતનો ઇતિહાસ એક નવો વળાંક લેશે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ બ્રિટિશ સમયના સૌથી બ્લોકથી તેના નવા સરનામે સેવા તીર્થ પર જઈ રહી છે. 13 ફેબ્રુઆરી 1931ના અંગ્રેજોએ દિલ્હીને કોલોનીયલ ભારતની રાજધાની તરીકે જાહેર કર્યું હતું. તે કોલોનીયલ જાહેરાતથી લઈને આ મહત્વના બદલાવ સુધી ની આ સફર પીએમ મોદીના કોલોનીયલ વારસાને છોડીને એક સાચો આત્મનિર્ભર, આત્મવિશ્વાસથી ભરેલા નવા ભારતના નિર્માણના ઈરાદાને બતાવે છે.

પ્રશાસનિક વ્યવસ્થામાં આવશે મોટા પરિવર્તન

સેવા તીર્થની વાત કરીએ તો આનું ઉદ્ઘાટન પ્રશાસનિક વ્યવસ્થામાં મોટા ફેરફારનું પ્રતિક છે. આ આધુનિક, કુશળ, સુલભ અને નાગરિક-કેન્દ્રિત ગુડ ગર્વનન્સ સિસ્ટમના નિર્માણ માંએટ પીએમ મોદીની પ્રતિબદ્ધતાને બતાવે છે. નવું ભવન પરિસર આધુનિક અને ભવિષ્ય માંએટ તૈયાર થઈ રહેલી સુવિધાઓની અંદર વહીવટી કાર્યોને એક કરે છે.

આ પણ વાંચો: લોન લેનારા લોકોને રાહત! RBIએ જાહેર કર્યા નવા નિયમો, ગુંડાગીરી કરનાર એજન્ટોની 'વાટ લાગવાની'

vtv app promotion

સ્માર્ટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ, મોનિટરિંગ નેટવર્ક

બંને ભવન પરિસરોમાં ડિજિટલ રૂપથી ઇન્ટિગ્રેટેડ ઓફિસ, વ્યવસ્થિત સાર્વજનિક સંપર્ક ક્ષેત્ર અને કેન્દ્રીય સ્વાગત સુવિધાઓ છે. આ સુવિધાઓ સહયોગ, દક્ષતા, સૂચરું સંચાલન, નાગરિકોની બહેતર ભાગીદારી અને કર્મચારીઓ માટે લાભકારી હશે. આ પરિસરોમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ છે. જેમ કે સ્માર્ટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ , મોનિટરિંગ નેટવર્ક અને એડવાંન્સ ઇમરજન્સી રિસ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અધિકારીઓ અને વિઝિટર્સ માટે સુરક્ષિત અને સુલભ માહોલ સુનિશ્ચિત કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Seva Teerth Kartavya Bhavan PMO Office

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ