બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:29 AM, 28 January 2026
બુધવારે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે NCP નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતું વિમાન ક્રેશ થઈ ગયું. આ વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોત થયા.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ફડણવીસ સાથે વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી.
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
— ANI (@ANI) January 28, 2026
Visuals from the spot. pic.twitter.com/6MHqTi6gna
ADVERTISEMENT
અજિત પવારની પત્ની સુનેત્રા પવાર અને સાંસદ સુપ્રિયા સુલે સહિત પવાર પરિવારના તમામ સભ્યો બારામતી જવા રવાના થઈ ગયા છે. પુણે જિલ્લા વહીવટીતંત્રે પણ અજિત પવાર સહિત તમામ છ લોકોના મોતની પુષ્ટિ કરી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ અકસ્માતમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
— ANI (@ANI) January 28, 2026
Visuals from the spot. pic.twitter.com/uL8TAyurv1
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, રનવે પર લેન્ડિંગ કરતા પહેલા સવારે 8:45 વાગ્યે આ દુર્ઘટના ઘટી. અત્યાર સુધીની ઉપલબ્ધ માહિતી અનુસાર, અજિત પવાર મુંબઈથી બારામતી એક પ્રાઇવેટ ચાર્ટર્ડ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યાં પંચાયત ચૂંટણી સંબંધિત ચાર જાહેર સભાઓમાં હાજરી આપવાના હતા.

ADVERTISEMENT
માહિતી પ્રમાણે, વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી ઉતરી ગયું. દુર્ઘટનામાં અજિત પવાર, તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષા કર્મચારીઓ અને ફ્લાઇટ સ્ટાફનો પણ જીવ ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.