બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / "ફાંસી પર લટકાવી દો..." રાજ્યસભામાં ફરી ભડક્યા જયા બચ્ચન, સભાપતિ સાથે ગરમા ગરમી
Last Updated: 09:12 PM, 25 March 2026
Rajya Sabha: સપા સાંસદ જયા બચ્ચન ફરી એકવાર રાજ્યસભામાં ભડક્યા, સભાપતિ સાથે તેમની ચકમક થતા માહોલ ગરમાયો હતો. ઉપલા ગૃહ ટ્રાન્સજેન્ડર અધિકાર સંરક્ષણ બિલ પર ચર્ચા કરી રહ્યું હતું ત્યારે સપા સાંસદ ગુસ્સે થઈ ગયા હતા.
ADVERTISEMENT
રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ફરી એકવાર ગુસ્સે થયા. ઉપલા ગૃહમાં ટ્રાન્સજેન્ડર અધિકાર સંરક્ષણ બિલ પર ચર્ચા કરી રહ્યું હતું. જયા બચ્ચન બોલવા માટે ઉભા થયા પરંતુ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ વાતચીત શરૂ કરી, જેનાથી તેઓ ગુસ્સે થયા. જ્યારે ચેયરથી ડૉ. દિનેશ શર્માએ સપા સાંસદને તેમની તરફ જોઈને બોલવા કહ્યું ત્યારે તેમણે "ફાંસી પર લટકાવી દેવાની" સુધીની વાત કહી દીધી હતી.
શું છે મામલો?
ADVERTISEMENT
જયા બચ્ચને કહ્યું, "કાલે રામ નવમી છે, તમને બધાને રામ નવમીની શુભકામનાઓ." પછી તેણીએ અચાનક ચૂપ થઈ જતા વાતચીત કરી રહેલા સભ્યો તરફ ધ્યાન જાય છે. ત્યારબાદ તેઓ અચાનક ચુપ થઇ જાય છે. ચેયરથી ડિપ્ટી ચેરમેન પેનલના ડોક્ટર દિનેશ શર્માએ તેમને તેમની સામુ જોઇ બોલવા માટે કહ્યુ. આના પર તેઓ કહે છે, "ના, હું... જો કોઈ બીજું વાત કરી રહ્યું હોય તો ધ્યાન ત્યાં જાય છે. જો હું બોલીશ, તો તમારું ધ્યાન મારા તરફ હશે." ખુરશી પરથી શર્માએ જવાબ આપ્યો, "ઘણા લોકો બોલતા હોય છે. તેઓ સભ્યોને બેસવાનું પણ કહે છે."
"ફાસી પર લટકાવી દો."
ADVERTISEMENT
આ પછી જયા બચ્ચને કહ્યું, "બાળકો બેસી જાઓ." ખુરશી પરથી દિનેશ શર્માએ કહે છે તમે તમારો સમય બગાડી રહ્યા છો." તેમણે જવાબ આપ્યો, "કોઈ વાંધો નહીં સાહેબ. તમારા હાથમાં દરેકનો સમય છે. જેટલું જોઈએ તેટલું આપો. ફાંસી પર લટકાવી દો." પછી તેમણે કહ્યુ, "બસ તેમને લટકાવી દો, કમજોર લોકોને." આટલું કહ્યા પછી તે ફરીથી ચૂપ જાય છે. ચેયરથી શર્માએ પછી જયા બચ્ચનને કહ્યું કે તે પોતાનો સમયનો સદઉપયોગ કરે. ટ્રેઝરી બેન્ચ તરફ ઈશારો કરીને બચ્ચને કહ્યું, "તમે મને અટકાવો, તેમને અટકાવશો નહીં, સાહેબ." શર્માએ આના પર કહ્યું, "મેં તેમને પહેલેથી જ કહ્યું છે કે કોઈ વચ્ચે બોલશે નહીં."

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દેશમાં નવા 100 એરપોર્ટના નિર્માણને મળી મંજૂરી, કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણય
"...હું વેલમાં ચાલી જઈશ."
ADVERTISEMENT
જયા બચ્ચને કહ્યું, "તેઓ તમારી વાત ન સાંભળે તો તેમની સામે કાર્યવાહી કરો. તમે ખુરશી પર બેઠા છો." આના પર દિનેશ શર્માએ જવાબ આપ્યો, "ક્યારેક આ બાજુના લોકો સાંભળતા નથી, ક્યારેક બીજી બાજુના લોકો સાંભળતા નથી." જયા બચ્ચને કહ્યુ, "સાહેબ, હું ભૂતકાળ વિશે વાત નથી કરી રહી, હું અત્યારની વાત કરી રહી છું." જ્યારે જયા બચ્ચન બોલી રહ્યા હતા ત્યારે કોઈએ કહ્યું, "ટાઇમ જતો રહેશે." જયા બચ્ચને જવાબ આપ્યો, "ના, સમય કેવી રીતે જતો રહેશે હું વેલમાં જતી રહીશ."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.