બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:11 AM, 4 October 2025
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોના મોત થયાની ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. આ મામલો સામે આવ્યા પછી તમિલનાડુ સરકારે વિવાદાસ્પદ સિરપ "કોલ્ડ્રિફ" ના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જયારે રાજસ્થાન સરકારે પણ કડક પગલા લેતા રાજ્યના ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધો છે અને કંપનીની દવાઓનું વિતરણ અટકાવી દીધું છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને એક એડવાઇઝરી જારી કરીને કહ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શરદી-ખાંસીની દવાઓ ન આપવામાં આવે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજસ્થાન સરકારે શુક્રવારે એક મોટું પગલું ભરીને રાજ્યના ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ જયપુરની Kaysons Pharma કંપનીની દવાઓનું વિતરણ પણ અટકાવી દીધું છે. આ પહેલા બાળકોને વિવાદિત સિરપ આપવાના આરોપમાં ડો. પલક કુલવાલ અને ફાર્માસિસ્ટ પપ્પુ કુમાર સોનીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
તમિલનાડુ સરકારે 1 ઓક્ટોબરથી કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ અને સ્ટોકિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. આરોગ્ય વિભાગે કંપનીના કાંચીપુરમ પ્લાન્ટનું નિરીક્ષણ કરીને સેમ્પલ લઈ લીધા છે. આ સેમ્પલ સરકારી લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે, જેથી તેમાં ડાયથિલિન ગ્લાયકોલ જેવા ખતરનાક કેમિકલ્સ છે કે કેમ તેની તપાસ થઈ શકે.

ADVERTISEMENT
કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઇઝરી જારી કરી છે કે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખાંસી અને શરદીની દવા ન આપવામાં આવે. DGHSની આ ગાઇડલાઇનનો હેતુ શંકાસ્પદ સિરપથી બાળકોના જીવ બચાવવાનો છે.
ADVERTISEMENT
રાજસ્થાન સરકારે શનિવારે સમગ્ર પ્રદેશમાં ઘરે-ઘરે સર્વે અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશા, એએનએમ અને સીએચઓ લોકોને જાગૃત કરશે કે તેઓ ડૉક્ટરની સલાહ વિના શરદી-ખાંસીની દવા ન લે. બાળકોની પહોંચથી દવાઓ દૂર રાખે અને ખરાબ અસર થવા પર તરત પગલા ભરવાની સલાહ આપવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પ્રોટોકોલ વિના દવા લખવા કે વિતરણ કરવા પર સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના મિશન ડિરેક્ટર ડૉ. અમિત યાદવે જણાવ્યું કે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડેક્સ્ટ્રોમોર્ફોન યુક્ત દવાઓ ન આપવી જોઈએ. લોકોને સમ્જાણ્યું કે તેઓ ઘરમાં મૂકેલી દવાઓ કોઈ પણ તબીબી સલાહ વિના ન લે. જો દવા લીધા પછી કોઈ પણ પ્રકારની આડઅસર થાય છે, શ્વાસ લેવામાં તકલીફ, સુસ્તી, બેભાન થવું, ઉલટી થવી અથવા એટેક જેવા લક્ષણો દેખાય, તો તેમણે નજીકની હોસ્પિટલ અથવા હેલ્પલાઇન નંબર 104/108 અથવા રાજ્ય-સ્તરીય કંટ્રોલ રૂમ નંબર 0141-2225624નો સંપર્ક કરવો જોઈએ.
આ પણ વાંચો: સાવધ રહેજો! 75 વર્ષના શખ્સનું સુહાગરાતે જ કેમ થઈ ગયું મોત? પોસ્ટમોર્ટમમાં આવ્યું હેરાનીભર્યું કારણ
દરમિયાન, રાજસ્થાન સરકારે લેબ ટેસ્ટ કરાવ્યા છે, એજમાં મળી આવ્યું છે કે વિવાદાસ્પદ સિરપના સેમ્પલ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે. આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહે જણાવ્યું કે દવામાં કોઈ અનિયમિતતા જોવા મળી નથી, જોકે તપાસ ચાલુ રહેશે.
થાણે, પાલઘર અને MBVV પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને 26,935 લિટર કોડીન આધારિત કફ સિરપ સહિત 147 કરોડ રૂપિયાના નાર્કોટિક ડ્રગ્સ અને દવાઓ નષ્ટ કરી છે. આ કાર્યવાહી મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરીથી કરવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.