બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / CBI એ અનિલ અંબાણી અને અજાણ્યા વ્યક્તિઓ સામે દાખલ કર્યો કેસ, સંપૂર્ણ કેસ વિશે જાણો
Last Updated: 05:03 PM, 1 April 2026
Anil Ambani: ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સીબીઆઇએ અનિલ અંબાણી અને અજાણ્યા વ્યક્તિઓ સામે એલઆઇસીને આશરે ₹3,750 કરોડનું મોટું નુકસાન પહોંચાડવાના મામલે કેસ દાખલ કર્યો છે.
ADVERTISEMENT
ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સીબીઆઇએ એક મોટા બેંકિંગ અને રોકાણ કૌભાંડમાં નવી એફઆઇઆર દાખલ કરી છે. આ કેસમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, તેના પૂર્વ ચેરમેન અનિલ અંબાણી અને અનેક અજાણ્યા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર આ સમગ્ર મામલો ભારતીય જીવન વીમા નિગમ (LIC) સામે કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે.
LIC ને ₹3,750 કરોડનું મોટું નુકસાન થયું
ADVERTISEMENT
સીબીઆઇ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એલઆઇસીને આશરે ₹3,750 કરોડનું મોટું નુકસાન થયું છે. હકીકતમાં એલઆઇસીએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા જારી કરાયેલા સુરક્ષિત નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) માં કુલ ₹4,500 કરોડનું રોકાણ કર્યું હતું. 2009માં 3000 કરોડ રૂપિયા અને 2012માં 1500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે, 3750 કરોડ રૂપિયા બાકીની રકમ બાકી બતાવવામાં આવી રહી છે, જેના કારણે છેતરપિંડીના આરોપો લાગી રહ્યા છે.
આરોપો શું છે?
ADVERTISEMENT
સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે એલઆઈસીના રીજનલ મેનેજર (કાનૂની) મનોજ કુમાર તેજનની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ એ છે કે રોકાણ પ્રક્રિયા દરમિયાન અનિયમિતતાઓ થઈ હતી અને એલઆઈસીને જાણી જોઈને નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વંદે ભારતનું ભોજન ખાધા પછી માતા-પુત્ર બીમાર, ભોજન પછી સુજી ગયા મહિલાના હોઠ
સરકારી અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ
ADVERTISEMENT
એલઆઈસી સાથે સંકળાયેલા આ કેસમાં કેટલાક અજાણ્યા સરકારી અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે, અને તેમની તપાસ કરવામાં આવશે. આટલું મોટું રોકાણ કેવી રીતે ડુંબી ગયું અને તેના માટે જવાબદાર લોકો કોણ છે તે જાણવા માટે સીબીઆઈ દ્વારા હવે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.