બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / PF વ્યાજદરને લઇ મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ ખાસ વાંચી લે
Last Updated: 03:12 PM, 13 October 2025
કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને અન્ય સંબંધિત ભંડોળ પર વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટર (1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2025) માટે જીપીએફ પર વ્યાજ દર 7.1 ટકા બન્યુ રહેશે. જીપીએફએ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ફરજિયાત બચત યોજના છે જે તેમને નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. ફક્ત સરકારી કર્મચારીઓ - જેઓ કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં કાયમી સેવામાં છે - તેઓ જ આ યોજનામાં જોડાઈ શકે છે.
ADVERTISEMENT

કર્મચારીઓ દર મહિને તેમના પગારનો એક નિશ્ચિત ભાગ તેમના જીપીએફ ખાતામાં જમા કરાવે છે. સરકાર જીપીએફ પર વ્યાજ પણ ચૂકવે છે, જે દર ક્વાર્ટરમાં નક્કી થાય છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવે છે. વ્યાજ દર સંતુલન જાળવવા માટે આ દરો સામાન્ય રીતે સરકારી નાની બચત યોજનાઓ સાથે સુસંગત રાખવામાં આવે છે.
ADVERTISEMENT
જનરલ પ્રોવિડન્ટ ફંડએ સરકારી કર્મચારીઓ માટે સુરક્ષિત અને ગેરંટીકૃત વળતર ધરાવતી યોજના છે. થાપણો સંપૂર્ણપણે સુરક્ષિત છે, અને વ્યાજ કરમુક્ત છે. આ યોજના કર્મચારીઓને નિવૃત્તિ પછી એકમ રકમના રૂપમાં નાણાકીય સહાય પૂરી પાડે છે.

ADVERTISEMENT
કયા ભંડોળ આ દરને આધીન છે?
આ 7.1 ટકા વ્યાજ દર ફક્ત જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ને જ નહીં, પરંતુ અન્ય સંબંધિત ભંડોળને પણ લાગુ પડે છે, જેમાં કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ (ભારત), ઓલ ઈન્ડિયા સર્વિસીસ પ્રોવિડન્ટ ફંડ, સ્ટેટ રેલ્વે પ્રોવિડન્ટ ફંડ, ડિફેન્સ સર્વિસીસ ઓફિસર્સ પ્રોવિડન્ટ ફંડ અને જનરલ પ્રોવિડન્ટ ફંડ (ડિફેન્સ સર્વિસીસ) નો સમાવેશ થાય છે. જીપીએફની જેમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પણ લાંબા ગાળાની બચત યોજના છે.
ADVERTISEMENT
કર્મચારી ભવિષ્ય ભંડોળ (EPF) ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે છે, અને તેનો વર્તમાન વ્યાજ દર 8.25 ટકા (નાણાકીય વર્ષ 2024-25) છે. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) માં રોકાણ બજાર-સંકળાયેલ છે, તેથી વળતર નિશ્ચિત નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / લાગે છે લાખો કર્મચારીઓની દિવાળી બગડશે? 8માં પગારપંચ પર આવી ચોંકાવનારી અપડેટ
નાની બચત યોજનાઓના વ્યાજ દર યથાવત રહ્યા
ADVERTISEMENT
તાજેતરમાં, સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCS) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.