બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / ખાડી દેશોમાં યુદ્ધની ભારત પર અસર, માત્ર 50 દિવસનો તેલનો જથ્થો, ઉર્જા ક્ષેત્રે મદદ માટે રશિયા તત્પર
Last Updated: 09:34 AM, 4 March 2026
Iran Israel War : મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધજન્ય તણાવને કારણે વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા વધી રહી છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં વધેલી અનિશ્ચિતતાએ ભારત સહિત ઘણા દેશોની ચિંતા વધારી છે. કારણ કે ભારત તેની જરૂરિયાતનું લગભગ 50 ટકા કાચું તેલ ખાડી દેશોમાંથી આયાત કરે છે. જોકે આ બધાની વચ્ચે હવે એક અપડેટ એ છે કે, રશિયા ભારત માટે સંકટ સમયનું સાથી બની શકે છે.
ADVERTISEMENT
ભારત પાસે કેટલો જથ્થો છે?
સૂત્રો અનુસાર, હાલમાં ભારત પાસે અંદાજે 50 દિવસ માટેનો કુલ તેલ ભંડાર ઉપલબ્ધ છે. તેમાં લગભગ 25 દિવસ માટે કાચું તેલ અને 25 દિવસ માટે રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનો જથ્થો સમાવેશ થાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટૂંકા ગાળાના પુરવઠા વિક્ષેપનો સામનો કરવા માટે દેશ તૈયાર છે અને સામાન્ય નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ
વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસનું પરિવહન હોર્મુઝ માર્ગથી થાય છે. જો આ માર્ગ પર અવરજવર પ્રભાવિત થાય, તો વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડે છે. ભારતની લગભગ અડધી ક્રૂડ ઓઇલ અને LPG આયાત આ જ માર્ગ પરથી થાય છે, તેથી અહીં કોઈ વિક્ષેપ થાય તો તેની અસર ભારતીય બજાર પર જોવા મળી શકે છે.
ADVERTISEMENT

રશિયા બનશે સંકટકાળનો સાથી?
ADVERTISEMENT
આ પરિસ્થિતિમાં રશિયાએ સંકેત આપ્યો છે કે, જો ગલ્ફ વિસ્તારમાં સંકટ વધુ ઊંડું બને, તો તે ભારતને ઊર્જા પુરવઠામાં મદદ કરવા તૈયાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે ઊર્જા સહયોગ વધ્યો છે, જેના કારણે વિકલ્પરૂપ સપ્લાય શક્ય બની શકે છે.
આ પણ વાંચો : મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદી એક્ટિવ, 48 કલાકમાં 8 વર્લ્ડ લીડર્સ સાથે વાત કરી
ADVERTISEMENT
આ તરફ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પૂરીએ જણાવ્યું છે કે, ભારત કોઈપણ ટૂંકા ગાળાના ઝટકાનો સામનો કરવા માટે સજ્જ છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે. સાથે સાથે તે રિફાઇનિંગ ક્ષમતા અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એટલે હાલની પરિસ્થિતિ ગંભીર હોવા છતાં તાત્કાલિક સંકટ જેવી સ્થિતિ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.