બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / "બિલાવલ ભુટ્ટોના વિવાદાસ્પદ નિવેદન પછી સીઆર પાટીલએ કહ્યું ‘હિંમત છે તો ભારતમાં આવી બતાવો’"
Last Updated: 06:34 AM, 29 April 2025
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીના નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું હતું કે 'જો પાણી બંધ કરવામાં આવશે તો નદીઓમાં લોહી વહેશે'. પાટીલે કહ્યું કે આવી ધમકીઓનો કોઈ અર્થ નથી. તેમણે બિલાવલને પડકાર ફેંક્યો કે જો તેમનામાં હિંમત હોય તો તેમણે ભારત આવીને તે બતાવવું જોઈએ.
ADVERTISEMENT

રવિવારે સુરતમાં એક કાર્યક્રમને સંબોધતા પાટીલે કહ્યું, 'મોદીજી કહે છે, 'જો પાણી છે, તો શક્તિ છે'. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનને (સિંધુ જળ સંધિ હેઠળ) પાણી ન મળવું જોઈએ. આ વાતથી બિલાવલ ગુસ્સે થઈ ગયા. તે કહી રહ્યા છે કે જો પાણી નહીં મળે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે.
ADVERTISEMENT

તેમણે આગળ કહ્યું, 'શું આપણે ડરી જઈશું?' હું બિલાવલને કહું છું કે ભાઈ, જો તમારામાં થોડી પણ હિંમત હોય તો ભારત આવીને બતાવો. આપણે આવી ધમકીઓથી ડરવાના નથી. પાણી બચાવવું એ આપણી ફરજ છે.
ADVERTISEMENT
૨,૫૦૦ થી વધુ વરસાદી પાણીના સંગ્રહના બાંધકામના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત 'જનભાગીદારી દ્વારા પાણી સંરક્ષણ' કાર્યક્રમમાં પાટીલે આ વાત કહી હતી. આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર લોકોએ પાણી બચાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. પાકિસ્તાની અખબાર 'ધ ન્યૂઝ' અનુસાર, બિલાવલે કહ્યું હતું કે, 'સિંધુ આપણું હતું અને આપણું જ રહેશે - કાં તો આપણું પાણી તેમાં વહેશે અથવા તેમનું લોહી.'
ADVERTISEMENT
આ પણ વાંચો : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 22 રાજ્યોમાં વરસાદની ચેતવણી
તમને જણાવી દઈએ કે ભારતે 1960માં પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.