ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / nasa isro space mission chandrayaan-2 moon south pole

મિશન / નાસાએ પણ ઇસરોની સિદ્ધિને વખાણી, કહ્યું-તમારો પ્રયાસ અમારા માટે પ્રેરણાદાયી છે

Published By: vtvAdmin

Last Updated: 12:09 AM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO) ના ચંદ્રયાન-2 મિશનના અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ વખાણ કર્યા છે. નાસાએ લખ્યું કે, અવકાશ મુશ્કેલ છે. અમે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ISRO ના ચંદ્રયાન-2 મિશનને ઉતારવાના પ્રયાસને બિરદાવીએ છીએ. આપએ અમને પણ તમારી યાત્રાથી પ્રેરણા મળશે.

ADVERTISEMENT

નાસાની પહેલા પાકિસ્તાનની પ્રથમ અવકાશયાત્રી નમીરા સલીમે પણ ઇસરોના ઐતિહાસિક પ્રયાસના વખાણ કર્યા હતા. તેણીએ કહ્યું કે, ચંદ્રયાન-2 મિશન દક્ષિણ એશિયા માટે અવકાશના ક્ષેત્રમાં લાંબી છલાંગ છે. 

આ માત્ર દક્ષિણ એશિયા માટે જ નહીં પરંતુ તમામ ગ્લોબલ સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે ગર્વનો વિષય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હું ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિગનો ઐતિહાસિક પ્રયાસ અને ભારતને શુભેચ્છા પાઠવું છું. 

આગામી 14 દિવસ સુધી સંપર્ક કરવાના કરાશે પ્રયાસ 

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) અધ્યક્ષ કે સિવને કહ્યું કે ચંદ્રયાન 2 મિશન પોતાના લક્ષ્યમાં લગભગ 100 ટકા સફળતા નજીક રહ્યું. આ મિશન નિષ્ફળ નથી. ઇસરોના વડાએ કહ્યું કે, અમે પહેલાથી ચાલી રહેલા અભિયાનોમાં વ્યસ્ત છીએ અને ચંદ્રયાન 2 બાદ ગગનયાન મિશન પર પૂર્વ નિર્ધારિત શેડ્યૂલ અનુસાર કામ યથાવત રહેશે. સ્પષ્ટ કરેલ ગગનયાન સહિત ઇસરોના બાકી મિશન નક્કી સમય પર થશે.

ડીડી ન્યૂઝમાં આપવામાં આવેલ ઇન્ટરવ્યૂમાં ઇસરો અધ્યક્ષ કે સિવને કહ્યું કે વિક્રમ લેન્ડર અંતિમ તબક્કો યોગ્ય નથી રહ્યો, તેના કારણે વિક્રમથી અમારો સંપર્ક તૂટ્યો. ઇસરોના વડા કે સિવને કહ્યું કે એક વખત વિક્રમ સાથે તૂટેલો સંપર્ક ફરી નથી જોડાઇ શક્યો. જોકે તેમણે કહ્યું કે આશાનું કિરણ હજુ બચેલું છે અને આગામી 14 દિવસો સુધી આપણે વિક્રમ સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરતા રહીશું.

ઑર્બિટરની ઉંમર હવે 7 વર્ષ સુધીઃ કે સિવન

ચંદ્રયાન સાથે ગયેલ ઑર્બિટર વિશે જણાવતા કે સિવને કહ્યું કે ઑર્બિટરની જિંદગી માત્ર એક વર્ષ માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ ઑર્બિટરમાં હાજર વધુ ઇંધણના કારણે હવે તેની ઉંમર 7 વર્ષ સુધી નક્કી કરવામાં આવી રહી છે.

ઇસરોના બીજા અભિયાનો વિશે ડૉ કે સિવને કહ્યું કે, ચંદ્રયાન 2માં આવેલ તકલીફોની કોઇ અસર આ મિશન પર નહીં પડે. ડૉ સિવને કહ્યું કે ઇસરોના બીજા અભિયાન નક્કી સમયે થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

ISRO Nasa space mission ગુજરાતી ન્યૂઝ ચંદ્રયાન-2 નાસા Chandrayaan-2

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ