બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / '...ત્યારે કાર્યકર્તાઓની આંતરડી બળે તે સ્વાભાવિક', પોતાની જ પાર્ટીના ઉમેદવાર સામે BJP MP નારણ કાછડીયાનો વિરોધ
Last Updated: 04:24 PM, 10 May 2024
સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ પહેલી વખત ભાજપના ભરતી મેળાને લઇ ભાજપના સાંસદ પોતે ખુલ્લીને મેદાને આવ્યા છે. અમરેલીના 3 ટર્મના સાંસદ અને 2024ની ચૂંટણીમાં પડતા મુકાયેલા નારણ કાછડિયાએ કાર્યકરો સમક્ષ કોંગ્રેસથી લવાતા નેતાઓને લઇને બળાપો વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
ખુલ્લો વિરોધ
ADVERTISEMENT
કાછડીયાએ હાલના ઉમેદવાર ભરત સુતરિયાને ટિકિટ આપવાને લઇ કાર્યકરો સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. કાછડીયાએ કાર્યકરોને કહ્યું કે, મને 3 વખત સાંસદ બનાવ્યો. પણ અમરેલીમાં દિલિપ સંઘાણી, મુકેશ સંઘાણી સહિત અનેક મજબૂત ચહેરાઓ હતા. પણ એવા વ્યક્તિને ટિકિટ આપી કે જે ગુજરાતીમાં વાત પણ કરી શકતો નથી. કાછડીયાના ભાજપ ઉમેદવાર સામે જ ખુલ્લા વિરોધનો આ વીડિયો આગની જેમ વાયરલ થયો છે. દિલીપ સંઘાણીના ઇફકોના ચેરમેન બનવાને લઇ આયોજિત કાર્યક્રમમાં કાછડીયાએ આ નિવેદન આપ્યું હતું. ત્યારે પત્રકારોએ જ્યારે આ અંગે પૂછ્યું ત્યારે તેમણે ફરી અમરેલીના નવા ઉમેદવાર ભરત સૂતરિયાને લઇ વિરોધ નોંધાવ્યો.
વાંચવા જેવું: તાલુકો જાહેર થયા બાદ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ, રોડથી લઈને પાણીની સમસ્યાથી લોકો પરેશાન
સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
કાર્યક્રમથી બહાર આવી કાછડીયાએ ફરી ભાજપની સિલેક્શન કમિટી, મોવડી મંડળ અંગે કોંગ્રેસના નેતાઓની ભરતીને લઇને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. તેમણે પત્રકારોના સવાલ પર ફરી અમરેલી બેઠકને લઇને નિવેદન આપતાં જણાવ્યું કે, સવારે કાર્યકરને પક્ષમાં લાવવામાં આવે છે અને બીજા દિવસે લોકસભાની ટિકિટ આપી દેવાય છે. કાછડિયાએ ઉમેદવારને લઇને એમ પણ કહ્યું કે, જે કાર્યકર્તાઓ કોંગ્રેસના લોકો સામે લડ્યા હોય, કોંગ્રેસનો માર ખાધો હોયો તે સ્ટેજ પર સાથે બેઠા હોય ત્યારે કાર્યકર્તાઓની આંતરડી બળે તે સ્વભાવિક છે. સમગ્ર ચૂંટણીમાં મતદાન અંગે નિરુત્સાહ પાછળ આયાતી ઉમેદવારો જવાબદાર છે તેવું કાછડીયાએ ભારપૂર્વક કહ્યું.
મહત્વનું છેકે અમરેલીમાં મતદાન થયા બાદ ભાજપના નેતાઓમાં નવેસરથી અસતોષનો જ્વાળા ભભૂકી ઉઠતાં સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT