બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ બાદ પણ રહસ્ય અકબંધ,માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે

અમદાવાદ / ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ બાદ પણ રહસ્ય અકબંધ,માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે

Pravin Joshi

Last Updated: 04:25 PM, 18 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાંદખેડામાં બે બાળકીઓના મોતના કેસમાં FSL રિપોર્ટ પોલીસને મળી ગયો છે, જેનો અભ્યાસ ડોક્ટરો કરી રહ્યા છે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં માતા-પિતાએ હવે ખીચડી અને ચોકલેટનો નવો દાવો કર્યો છે. ડાયરીમાં પુત્ર પ્રાપ્તિના લખાણ અંગે પણ માતાએ ખુલાસો કર્યો છે. મોતના ચોક્કસ કારણની વિગત મંગળવાર સુધીમાં જાહેર થશે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતે સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ હૃદયદ્રાવક ઘટનામાં હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને બ્લડ સેમ્પલનો રિપોર્ટ શનિવારે પોલીસને પ્રાપ્ત થઈ ગયો છે, પરંતુ તેમ છતાં બાળકીઓના મોતના સાચા કારણ પરથી હજુ પડદો ઊંચકાયો નથી. ચાંદખેડા પોલીસના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટ હવે પોસ્ટમોર્ટમ કરનાર પેનલ ડોક્ટરોને સોંપવામાં આવ્યો છે. ડોક્ટરો આ રિપોર્ટનો તબીબી દ્રષ્ટિકોણથી ઊંડો અભ્યાસ કરી રહ્યા છે અને સોમવાર અથવા મંગળવાર સુધીમાં 'ફાયનલ કોઝ ઓફ ડેથ' એટલે કે મોતના ચોક્કસ કારણ અંગે પોતાનો લેખિત અભિપ્રાય આપશે. ત્યાં સુધી પોલીસ આ મામલે ઝેર કે અન્ય કોઈ પણ શક્યતા પર સત્તાવાર મહોર મારવાનું ટાળી રહી છે.

didha - 2026-04-18T162439.047

બીજી તરફ, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૃતક બાળકીઓના માતા-પિતાની અંદાજે બે કલાક સુધી ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન મામલો વધુ ગૂંચવાયો છે, કારણ કે અત્યાર સુધી ઢોસાના ખીરાની વાત કરતા માતા-પિતાએ હવે નવી જ થિયરી રજૂ કરી છે. તેઓએ જણાવ્યું છે કે બાળકીઓએ ખીચડી અને ચોકલેટ પણ ખાધી હતી. માતા-પિતાના નિવેદનોમાં જોવા મળતી આ અસંગતતા અને વારંવાર બદલાતી વાતોને કારણે પોલીસ હવે કોઈ અલગ દિશામાં તપાસ કરવાનું વિચારી રહી છે. શરુઆતમાં જે ખીરાને કારણે ફૂડ પોઈઝનિંગ હોવાનું મનાતું હતું, ત્યાં હવે આ નવા નિવેદનોએ તપાસમાં વળાંક આણ્યો છે.

આ પણ વાંચોઃ અમરેલી-ધારી હાઇવે પર ખાનગી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 20 જેટલા વિધાર્થીઓ ઇજાગ્રસ્ત

આ દરમિયાન પોલીસને તપાસમાં એક ડાયરી પણ મળી આવી હતી, જેમાં 'પુત્ર પ્રાપ્તિ' અંગેના લખાણો હતા. આ લખાણોને કારણે કેસમાં કોઈ અંધશ્રદ્ધા કે અન્ય શંકાસ્પદ એન્ગલ હોવાની આશંકા જાગી હતી. જોકે, પૂછપરછમાં માતા ભાવનાબેને સ્પષ્ટતા કરી હતી કે એક દીકરી હોવાથી બીજો દીકરો આવે તેવી મધ્યમવર્ગીય પરિવાર જેવી સામાન્ય ઈચ્છા હતી અને તેને કોઈ અન્ય બાબત સાથે સાંકળવી જોઈએ નહીં. હાલમાં પોલીસ ડોક્ટરોના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના આધારે જ ખબર પડશે કે આ માત્ર એક અકસ્માત હતો કે તેની પાછળ કોઈ ગંભીર ષડયંત્ર છુપાયેલું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Chandkheda MysteryDeath
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ