બ્રેકિંગ ન્યુઝ
કુલઘરા નામનુ આ ગામ રાજસ્થાન રાજ્યમાં જેસલમેરની નજીક લગભગ 15 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ ગામ 12મી સદીના અંતિમ તબક્કામાં પાલીવાલ બ્રાહ્મણો દ્વારા વસાવાયુ હતુ. વર્ષ 1825થી આ ગામમાં કોઇ રહેતુ નથી. આ ગામના નિવાસી રાતોરાત આ સ્થાન છોડીને ક્યાં ચાલ્યા ગયા તેના વિશે કોઇ સ્પષ્ટ જાણકારી નથી. જાણકારોની વાત માનીએ તો જેસલમેરના દિવાન સાલિમ સિંહને એક પાલીવાલ બ્રાહ્મણની દિકરી સાથે પ્રેમ થઇ ગયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. ગામના લોકો ન માન્યા તો સાલિમે લગાન અને ટેક્સ ખુબ જ વધારી દીધા. જેનાથી પરેશાન થઇને ગામના લોકો રાતોરાત ગામ છોડીને ચાલ્યા ગયા, પરંતુ તેમને કોઇએ જતા જોયા નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.