રાજસ્થાનના જેસલમેરથી 18 કિલોમીટર દુર એક એવુ ગામ છે જે છેલ્લા બસો વર્ષથી ઉજ્જડ-વેરાન પડ્યુ છે. ક્યારેક અહીં 600થી વધુ પરિવારો રહેતા હતા. આજે આ ગામ વેરાન કેમ છે તેની કહાની ખુબ દિલચશ્પ છે. આજે રાતે જ નહીં, પરંતુ દિવસે પણ કોઇ વ્યક્તિ આ ગામમાં ખંડેર બની ચુકેલા ઘરમા જતા ડરે છે.
કુલઘરા નામનુ આ ગામ રાજસ્થાન રાજ્યમાં જેસલમેરની નજીક લગભગ 15 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ ગામ 12મી સદીના અંતિમ તબક્કામાં પાલીવાલ બ્રાહ્મણો દ્વારા વસાવાયુ હતુ. વર્ષ 1825થી આ ગામમાં કોઇ રહેતુ નથી. આ ગામના નિવાસી રાતોરાત આ સ્થાન છોડીને ક્યાં ચાલ્યા ગયા તેના વિશે કોઇ સ્પષ્ટ જાણકારી નથી. જાણકારોની વાત માનીએ તો જેસલમેરના દિવાન સાલિમ સિંહને એક પાલીવાલ બ્રાહ્મણની દિકરી સાથે પ્રેમ થઇ ગયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. ગામના લોકો ન માન્યા તો સાલિમે લગાન અને ટેક્સ ખુબ જ વધારી દીધા. જેનાથી પરેશાન થઇને ગામના લોકો રાતોરાત ગામ છોડીને ચાલ્યા ગયા, પરંતુ તેમને કોઇએ જતા જોયા નથી.