બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:35 PM, 8 October 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી મુંબઈ મુંબઈ ઇંટરનેશનલ એરપોર્ટના (NMIA) ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 19,650 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું આ એરપોર્ટ ભારતનું સૌથી મોટું ‘ગ્રીનફીલ્ડ’ એરપોર્ટ છે, જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ મુંબઈ મહાનગર વિસ્તારનું બીજું ઇંટરનેશનલ એરપોર્ટક છે, જે છત્રપતિ શિવાજી મહારાજ ઇંટરનેશનલ એરપોર્ટ (CSMIA) સાથે મળીને કામ કરશે. આનાથી મુંબઈમાં ભીડભાડ ઘટશે અને શહેરને વૈશ્વિક મલ્ટિ-એરપોર્ટ સિસ્ટમની શ્રેણીમાં સ્થાન મળશે.
ADVERTISEMENT
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનીને તૈયાર, આધુનિક અને ભવ્ય બાંધકામનો વીડિયો PM મોદીએ કર્યો શેર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 8, 2025
((વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. અહીંથી ફ્લાઇટ્સ શરૂ થવાથી પુણે, પિંપરી-ચિંચવડ, કોલ્હાપુર, સતારા, સોલાપુર અને પશ્ચિમ મહારાષ્ટ્રના અન્ય ભાગો… pic.twitter.com/4HLGOvcOIn
ફ્લાઇટ્સ ક્યારે શરૂ થશે?
ADVERTISEMENT
નવી મુંબઈ ઇંટરનેશનલ એરપોર્ટ પરથી વિમાનોનું સંચાલન ડિસેમ્બર 2025થી શરૂ થશે. ટિકિટનું વેચાણ ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે. ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઇન્સ આ હવાઈ મથક પરથી ઉડાન ભરશે.
ડિજિટલ સુવિધાઓની વિશેષતાઓ
ADVERTISEMENT
નવી મુંબઈ ઇંટરનેશનલ એરપોર્ટ ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ હવાઈ મથક તરીકે ઓળખાશે. અહીં વાહન પાર્કિંગ સ્લોટનું પ્રી-બુકિંગ, ઓનલાઇન બેગેજ ડ્રોપ અને ઇમિગ્રેશન સેવાઓની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ના CEO અરુણ બંસલના જણાવ્યા અનુસાર, મુસાફરોને તેમના ફોન પર એક સંદેશ મળશે, જેમાં તેમના સામાનનું કેરોસેલ નંબર જણાવવામાં આવશે. આ સુવિધા મુસાફરોના અનુભવને વધુ સરળ અને અદ્યતન બનાવશે.

ADVERTISEMENT
અદ્યતન સુવિધાઓથી સજ્જ
આ ઇંટરનેશનલ એરપોર્ટ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. તેમાં 3,700 મીટર લાંબો રનવે છે, જે મોટા વ્યાપારી વિમાનોને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, આધુનિક પેસેન્જર ટર્મિનલ અને અદ્યતન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. આ એરપોર્ટનું સ્થાન પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, જે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) થી 14 કિ.મી., મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC), તળોજા ઇન્ડસ્ટ્રિયલ એરિયાથી 22 કિ.મી., મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા) થી 35 કિ.મી., થાણેથી 32 કિ.મી. અને ભિવંડીથી 40 કિ.મી.ના અંતરે આવેલું છે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: IAS પત્ની CM સાથે વિદેશથી આવે તે પહેલાં IPSએ પોતાની જાતને કેમ ઉડાવી? સુસાઈટ નોટમાં મોટો ઘટસ્ફોટ
આર્થિક અને પ્રવાસન પર અસર
ADVERTISEMENT
નવી મુંબઈ હવાઈ મથક મુંબઈ અને આસપાસના વિસ્તારોના આર્થિક વિકાસને વેગ આપશે. આ એરપોર્ટથી પ્રવાસન, વેપાર અને રોજગારીની નવી તકો ઊભી થશે. મુંબઈને વૈશ્વિક સ્તરે વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરીને આ હવાઈ મથક ભારતના એવિએશન સેક્ટરમાં એક નવું માપદંડ સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ ભારતની ઝડપથી વિકસતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે, જે દેશને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.