ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Air Indiaની વધુ એક ફ્લાઇટ કેન્સલ, ગુજરાતીઓ ખાસ નોંધ કરી લે
Last Updated: 07:42 AM, 22 July 2025
ADVERTISEMENT
રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજની એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ 27 જૂનથી 16 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવતા મુસાફરો અટવાયા હતા. 18 જુલાઈથી ફ્લાઈટ બંધ થઈ જતા હવે 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. મળતી માહિતી મુજબ એરક્રાફ્ટમાં ઈન્ટિરિયર ચેન્જ કરવાનું હોઈ ફ્લાઈટ સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT

મુસાફરો અન્ય એરલાઈન્સ અથવા ટ્રેનના સહારે
ADVERTISEMENT
એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બંધ થવાથી દરરોજ મુસાફરી કરતા લોકોની મુશ્કેલી વધશે. ખાસ કરીને રાજકોટથી મુંબઈ વચ્ચે રોજનો વ્યાવસાયિક કે તાત્કાલિક કામકાજ માટે આવનારા લોકો માટે આ નિર્ણય મુશ્કેલી સર્જે એવી શક્યતા છે. બીજી તરફ, ફ્લાઈટ બંધ થવાનું મુખ્ય કારણ મુસાફરોની ઘટતી સંખ્યા અને તાજેતરમાં થયેલી દુર્ઘટનાને લઈ એરલાઇનની સુરક્ષા અંગે ચિંતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 31 ઓગસ્ટ સુધી ફ્લાઈટ રદ રાખવાની જાહેરાત બાદ હવે મુસાફરોને વિકલ્પરૂપે અન્ય એરલાઈન્સ અથવા ટ્રેનનું સહારો લેવો પડશે.
આ પણ વાંચોઃ સુરત એરપોર્ટ પર ઝડપાઇ સોનાની દાણચોરી, બે મુસાફરોની 28 કિલો સોનાની પેસ્ટ સાથે ધરપકડ
ADVERTISEMENT
અઠવાડિયામાં ચાર ફ્લાઈટ ટેકઓફ થાય છે
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ મુંબઈ માટે ચાર ફ્લાઈટ ટેકઓફ થઈ રહી છે. જ્યારે દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર અને સુરત માટે એક-એક ફ્લાઈટ ઉપલબ્ધ છે. તેમજ દિલ્હી અને ગોવા માટેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ ચાલે છે. પુણે માટેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ સુધી ઉપલબ્ધ છે. જ્યારે અન્ય એક ફ્લાઈટ અઠવાડિયામાં માત્ર એક દિવસ ઉડાન ભરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ