બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Most women make these 4 mistakes while making roti
Last Updated: 11:47 AM, 11 January 2024
ADVERTISEMENT
સ્વસ્થ રહેવા માટે રોટલીનું સેવન ખુબજ જરૂરી છે. પેટ ભરવા માટે ભલે ફળ અને શાક ખાઓ પણ મન તો શાક સાથે રોટલી ખાવાથી જ ભરાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો ઘઉંની જગ્યાએ અન્ય અનાજની રોટલી ખાવાનું કહે છે. રોટલી કોઈ પણ અનાજની હોય પણ તેને બનાવતા સમયે આ ભૂલ ન કરવી જોઈએ. આ રીતે રોટલી બનાવવાથી તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે. જેનાથી શરીરને પૂરો ફાયદો થતો નથી. જાણો રોટલી બનાવતા સમયે કઈ ભૂલ ન કરવી જોઈએ.

ADVERTISEMENT
નોન સ્ટીક તવા પર રોટલી ન બનાવો
રોટલી બનાવતા સમયે નોન સ્ટીક તવાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેની જગ્યાએ માટીનાં તવાનો ઉપયોગ કરવો જોઈએ. તેના પર બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
એક અનાજની રોટલી બનાવો
હેલ્ધી રહેવા માટે રોટલી ખાવી હોય તો હમેશા એક જ અનાજની રોટલી બનાવવી જોઈએ. અલગ-અલગ અનાજને મિક્સ કરીને રોટલી ક્યારેય ન બનાવવી જોઈએ. તેનાથી પાચન થવામાં સમસ્યા થાય છે. માત્ર એકલા બાજરી, જુવાર, રાગી, મકાઈ અને ઘઉંનાં લોટની રોટલી બનાવીને ખાવ.
ADVERTISEMENT

વાંચવા જેવું: શિયાળામાં બીજું કરો કે ના કરો પણ ગરમ પાણી જરૂર પીવું જોઈએ, ફાયદા જાણીને તમે પણ આજે જ ચાલુ કરી દેશો
ADVERTISEMENT
એલ્યુમિનિયમ ફોઈલ પેપર
ગરમ રોટલીને ક્યારેય પણ એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં લપેટવી જોઈએ નહીં. ફોઈલનાં કણો રોટલીમાં ચોંટી જાય છે. જેથી તે સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે. હમેશા રોટલીને લપેટવા માટે કપડાનો ઉપયોગ કરવો જોઈએ.
ગૂંથેલા લોટને થોડીવાર રહેવા દો
જ્યારે પણ રોટલી બનાવો ત્યારે ગૂંથેલા લોટને 5-10 મિનિટ માટે રહેવા દો. આના કારણે લોટમાં થોડો આથો આવે છે અને તેમા સારા બેક્ટેરિયા સારી રીતે બને છે. આ પછી તૈયાર કરવામાં આવેલી રોટલી માત્ર નરમ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.