અબુ બકર અલ બગદાદીની મોત થઈ ચૂકી છે. એ બાદ તેનાં અનેક રાજ સામે અવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બગદાદીએ 25 મિલિયન ડૉલર રણમાં સંતાડ્યાં હતાં. અબુ બકર અલ બગદાદી જે રીતે તેના છુપાવાનાં સરનામા બદલી રહ્યો છે. તે રીતે તેણે પૈસા સંતાડવાની અનોખી રીત શોધી હતી. તે પોતાના પૈસા કોઈ બેંકમાં કે લોકરમાં નહોંતો રાખતો. બલ્કે તેનાં રહેણાંકની નજીક રહેલાં રણમાં દાટીને રાખતો હતો. બગદાદીનાં એક નજીકનાં વ્યક્તિએ એક વાતનો ખુલાસો કરતાં કહ્યું છે કે આઈએસઆઈએસનાં આતંકવાદીએ રણમાં લગભગ 25 મિલિયન ડૉલર છુપાવી રાખ્યાં હતાં.
સૌથી નજીકનાં વ્યક્તિએ રહસ્ય પરથી પડદો ઉંચક્યો
બગદાદીના સંબંધી અને ખાસ માણસે જ બાતમી આપી હતી
બગદાદીનાં ઠેકાણા પર ધર્મગ્રંથોનો ઢગ મળ્યો
સૌથી નજીકનાં વ્યક્તિએ રહસ્ય પરથી પડદો ઉંચક્યો
અબુ બકર અલ બગદાદીનાં સૌથી નજીકનાં વિશ્વાપાત્રમાંનાં એક આતંકવાદીએ ખુલાસો કર્યો છે કે આઈએસઆઈએના આતંકીઓએ ઈરાકી રણમાં 25 મિલિયન ડૉલર દબાવી રાખ્યાં હતાં. આ પૈસા વિશે કોઈને પણ જાણકારી નહોતી, પરંતુ પછીથી આ વિસ્તામાં ફરતા ઢોર ચરાવનારા લોકોને આ પૈસા મળ્યાં હતાં.
બગદાદીનો સંબંધી જ બાતમીદાર બન્યો
આઈએસઆઈએસનો આકા અબુ બકર અલ બગદાદીનો ખાસ અંગત અને એક સંબંધી મોહમ્મદ અલી સાજેટે (Mohammed Ali Sajet) આ વિશે માહિતી આપી હતી. સાજેટ બગદાદીનો સંબંધી પણ હતો અને તેની પાસે અનેક રાજ પણ હતાં. તે વર્ષ 2015માં આઈએસઆઈએસનો સભ્ય બન્યો હતો. ઓગસ્ટ મહિનામાં ઈરાકી અધિકારીઓએ બગદાદીનાં નજીકનાં સાજેટની ધરપકડ કરી હતી. એવું માનવામાં આવે છે કે સાજેટ પાસેથી જ બગદાદીનાં ઠેકાણાંની માહિતી મળી હતી. એ બાદ આ વિશે પછીથી સીરિયાને માહિતી આપવામાં આવી. ત્યાંથી આ માહિતી અમેરિકનોને આપવામાં આવી હતી. અલીએ આઈએસઆઈએસ નેતા માટે કામ કરી રહેલાં એક કુરિયરને આ અંગે જાણકારી આપી હતી.
રણમાં સોના, ચાંદી અને ડૉલર દાટ્યાં હતાં
સાજટ જ્યારે ઈરાકમાં નજર બંધ હતો. ત્યારે સાજટે એક ટીવી ઈન્ટર્વ્યુમાં સ્વીકાર્યું હતું કે આઈએસઆઈએસે અલ-અનવર રણમાં 25 મિલિયન ડૉલર છુપાવીને રાખ્યાં હતાં. આઈએસઆઈએસ આને પહેલા પોતાનું નુકસાન માનવામાં આવી રહ્યું હતું. જેને પછીથી પશુ ચરાવનારાં લોકોની મદદથી શોધવામાં આવ્યું હતું. જોકે રણમાંથી મળેલી રકમ હજુ પશુ ચરાવનારા પાસે છે કે પછી આઈએસઆઈએ તેનાં બીજા અડ્ડા પર છુપાવ્યાં છે. તે જાણી નથી શકાયું.
બગદાદીનાં ઠેકાણા પર ધર્મગ્રંથોનો ઢગ મળ્યો
સાજેટે જણાવ્યું છે કે જ્યાં બગદાદી છુપાયો હતો ત્યાં 5-6 મીટરની પહોળાઈ સાથે 8 મીટર લાંબી ભૂ સુરંગ હતી. અહીં એક લાઈબ્રેરી હતી. જેમાં ધાર્મિક પુસ્તકો, કુરાન અને અનેક અન્ય પ્રકારની ધાર્મિક પુસ્તકો રાખવામાં આવી હતી. તેઓ આ ધાર્મિક પુસ્તકોને વાંચતો રહેતો હતો. આ સુરંગમાં પ્રકાશ અને અન્ય વસ્તુઓ હતી. જેથી આ જગ્યાને બગદાદીનાં છુપાવા માટેની ઉત્તમ જગ્યા માનવામાં આવે છે.
સાજેટે જણાવ્યું હતું કે સીરિયામાં જે જગ્યાએ બગદાદીએ પોતાના છુપાવાની જગ્યા બનાવી હતી. તેની આસપાસ તેનાં ખાસ લોકોનાં ટેન્ટ લગાવવામાં આવ્યાં હતાં. જે તેમની સુરક્ષા કરતાં હતાં. ઈરાકી અધિકારીઓએ જણાવ્યું હતું કે સગીરને જ્યારે બંધક બનાવીને પુછપરછ કરવામાં આવી તો તેણે કુરિયર તરીકે કામ કરનારા અને તેની પત્ની વિશે માહિતી આપી હતી. એ બાદ કુરિયરને નજર કેદ કરવામાં આવ્યો હતો. જોકે કુરિયર રેડ દરમિયાન માર્યો ગયો. જોકે તેની પત્નીને અન્ય જગ્યાએ રાખવામાં આવી હતી. પત્નીને કારણે ટીમ બગદાદી સુધી પહોંચવામાં સફળ રહી. એ બાદ ઈરાકી અધિકારીઓએ અમેરિકી સેનાને સૂચના આપી હતી. ત્યારે અમેરિકાએ આ ઓપરેશન પાર પાડ્યું.
અડ્ડો બદલવાની તૈયારી કરી રહ્યો હતો જોકે તક ન મળી
બગદાદીનાં ખાસ સાજેટે સેનાને જણાવ્યું કે લાંબા સમય સુધી તે એક અડ્ડા પર નથી રહેતો. સુરક્ષા એજન્સીને માહિતી મળી શકે તેવી કોઈ જગ્યાએ તે નથી છુપાતો. જો બગદાદીને સુરક્ષાને લઈને શંકા ઉપજે તો તે અડ્ડો બદલી નાંખે છે. જ્યાં બગદાદી માર્યો ગયો તે જગ્યાં એક અઠવાડિયામાં બદલવાનો હતો. જે માટે તેણે ખાસ લોકો સાથે મિટીંગ પણ કરી લીધી હતી. જોકે તે ભાગે એ પહેલા અમેરિકાએ હુમલો કરી દીધો.
કોઈ જીવતું નથી પકડાયું
એક વાત એ પણ છે કે બગદાદી તેનાં સાથીઓને હંમેશા કહેતો હતો કે તે ક્યારેય જીવતો નહી પકડાય અને એજ કારણથી તે પોતાનાં શરીર પર વિસ્ફોટકો બાંધીને રાખતો હતો. બગદાદી જેવું કહેતો હતો તેણે એવું જ કર્યું. જ્યારે અમેરિકી સેનાએ હુમલો કર્યો ત્યારે તેણે પોતાને ઉડાવી દીધી.