બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / Modi government organizes dinner with bollywood fraternity to gain their trust in CAA
કોણ કોણ આમંત્રિત છે
ADVERTISEMENT
આમંત્રિતની યાદીમાં કરણ જોહર, ફરહાન અખ્તર, કબીર ખાન, વિકી કૌશલ, આયુષ્માન ખુરાના જેવા સિતારાઓનો સમાવેશ થાય છે.
ક્યારે છે ડિનર?
ADVERTISEMENT
આ સિતારાઓને મુંબઈની ગ્રાન્ડ હ્યાત હોટલમાં રવિવારે 5મી જાન્યુઆરીએ રાત્રે બોલાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શું છે સિતારાઓનો પ્રતિભાવ?
એક આમંત્રિત સિતારાએ જવાનો ઇન્કાર કરીને જણાવ્યું છે કે તેને સેલ્ફીઓ લેવામાં કોઈ રસ નથી. ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે તેના માટે જવું અનુકૂળ નથી. જયારે બીજા એક સ્ટારે પોતે વિદેશ હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
શું હવે રાતોરાત સિતારાઓ CAAના પક્ષમાં થઇ જશે?
બૉલીવુડના એક અંગત સૂત્રએ જણાવ્યું હતું કે હવે આ સિતારાઓ અચાનક કાલથી ટ્વીટર ઉપર CAAના સમર્થનમાં ટ્વીટ કરવા લાગશે.
ADVERTISEMENT
કોણે આ ડિનર ઓર્ગેનાઈઝ કર્યું છે?
સૂત્રોનું માનીએ તો નરેન્દ્ર મોદીના બૉલીવુડના ખાસ માણસ તરીકે જાણીતા મહાવીર જૈને આ ડિનર ઓર્ગેનાઈઝ કર્યું છે. નરેન્દ્ર મોદીના પ્રખ્યાત બૉલીવુડ સેલ્ફી પાછળ મહાવીર જૈનનું આયોજન હોવાનું કહેવાય છે. આ ફોટો બોલીવુડે સારા એવા પ્રમાણમાં ફેલાવ્યો હતો.
ADVERTISEMENT
નોંધનીય છે કે બૉલીવુડના મોટા ભાગના સિતારાઓ 2014થી મોદી સરકારની તરફેણમાં છે પરંતુ એક નાનો ભાગ એવો છે કે જે નિર્ભયતાથી મોદી સરકારના કેટલાક નિર્ણયોની જાહેરમાં ટીકા કરે છે.
જામિયા મિલિયા, અલીગઢ યુનિવર્સીટી વગેરેમાં CAAના વિરોધમાં નીકળેલી રેલીમાં પોલીસે આચરેલા કથિત દમન મુદ્દે હુમા કુરેશી, કોંકણા સેન, રિચા ચઢ્ઢા, અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર જેવા બૉલીવુડ કલાકારોએ જાહેરમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.