બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
VTV / મનોરંજન / Modi government gave strict warning to OTT platforms on what? Anurag Thakur said - If Indian culture is insulted...
Pravin Joshi
Last Updated: 11:52 AM, 19 July 2023
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે ચેતવણી આપી હતી કે સર્જનાત્મક સ્વતંત્રતાના નામે ભારતીય સંસ્કૃતિ અને સમાજનું અપમાન થવા દેવામાં આવશે નહીં. અનુરાગ ઠાકુરે OTT પર ભારતીય ધર્મો અને પરંપરાઓના ખરાબ ચિત્રણના આરોપોને લઈને આ વાત કહી હતી. આ બેઠક મંગળવાર 18 જુલાઈના રોજ થઈ હતી. મીટિંગમાં સામેલ લોકોએ એક ખાનગી ન્યુઝ એજન્સીને ત્યાં થયેલી વાતચીતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે મીટિંગમાં OTT દ્વારા ઉલ્લંઘન માટે સજાની જોગવાઈને ઠીક કરવા, હાલની ફરિયાદ નિવારણ પદ્ધતિને મજબૂત કરવા, ભારતના નકશાના સચોટ ચિત્રણને લગતી ચિંતાઓ અને ડિજિટલ પાયરસી સાથે વ્યવહાર કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Interacted with representatives of leading OTT platforms today on various issues including content regulation, user experience, enhancing accessibility for the specially abled and overall growth & innovation of the sector.
— Anurag Thakur (@ianuragthakur) July 18, 2023
OTT platforms have revolutionised the way we consume… pic.twitter.com/K7PjxLqowU
બેઠકમાં શું થયું?
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ચિંતા વ્યક્ત કરી કે OTT પર ઘણા પ્રસંગોએ ભારતીય ધર્મો અને પરંપરાઓને ખોટી રીતે બતાવવામાં આવે છે. તેમણે પ્રતિનિધિઓને કહ્યું કે તેઓ તેમના પ્લેટફોર્મનો ઉપયોગ પ્રચાર ફેલાવવા અને વૈચારિક પૂર્વગ્રહ પેદા કરવા માટે ન કરે. આ સમસ્યાઓ અંગે તમામ પ્રતિનિધિઓને 15 દિવસમાં સૂચિત ઉકેલ લાવવા જણાવાયું છે.
આચારસંહિતાના અમલ અંગે વાત કરી
બેઠકમાં પ્રતિનિધિઓએ આચારસંહિતાના અમલ અંગે વાત કરી હતી. સર્જનાત્મક સ્વતંત્રતા અને જવાબદાર સામગ્રી વચ્ચે સંતુલન જાળવવા માટે ઉકેલોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આચારસંહિતા, વિષયવસ્તુ નિયમન, વિવિધ વયના લોકો માટે વાજબી પ્રવેશ, વય-આધારિત વર્ગીકરણ અને પેરેંટલ લોક પરની ચર્ચા દરમિયાન ભાર મૂકવામાં આવ્યો હતો. તો સાથે સાથે OTT પ્લેટફોર્મને સ્ક્રિપ્ટની સમીક્ષા કરવા, સંભવિત ઉલ્લંઘનોને ઓળખવા અને કૌટુંબિક મનોરંજનને પ્રોત્સાહન આપવા માટે કહેવામાં આવ્યું હતું.
બેઠકમાં વિવિધ મુદ્દા ઉઠાવવામાં આવ્યા
આ સાથે ફરિયાદ નિવારણ તંત્રને મજબૂત કરવા પર પણ વાતચીત કરવામાં આવી હતી. બેઠકમાં ડિજિટલ પાઇરેસી અને બૌદ્ધિક સંપદા અધિકારોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. અનુરાગ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગેરકાયદેસર રેકોર્ડિંગ અને સામગ્રીના પ્રસારણમાં સામેલ વેબસાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.બેઠક બાદ અનુરાગ ઠાકુરે એક ટ્વીટમાં લખ્યું કે ભારત વિવિધતા ધરાવતો દેશ છે. દેશની સામૂહિક ચેતના પણ OTTમાં પ્રતિબિંબિત થવી જોઈએ. પ્લેટફોર્મ સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે પણ સંવેદનશીલ હોવા જોઈએ. તમને જણાવી દઈએ કે આગામી ચોમાસુ સત્રમાં સિનેમેટોગ્રાફ બિલ પણ પસાર થવાની આશા છે. જેમાં ડીજીટલ પાયરસી અટકાવવા અને કોપીરાઈટ કન્ટેન્ટ ગેરકાયદેસર રીતે દર્શાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime