બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
Megha
Last Updated: 10:05 AM, 6 December 2023
આપણા હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું ખૂબ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂજા-પાઠ કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ કરવા અને સકારાત્મક ઉર્જાનો સંચાર થય છે. આ સાથે જ ઘણા દોષોથી મુક્તિ પણ મળે છે અને આર્થિક સંકટ દૂર થાય છે. જો કે આ લાભ ત્યાર જ મળે છે જ્યારે તમે પૂજા-પાઠ દરમિયાન થોડા ઉપાયો કરો.
વાત એમ છે કે ઘરમાં પૂજા સ્થાન એટલે મંદિરમાં રાખેલ દરેક વસ્તુનું પોતાનું અલગ મહત્વ છે અને કપૂર પણ તેમાંથી એક છે. સામાન્ય રીતે દરેક લોકો ઘરમાં પૂજા સમયે કપૂર સળગાવે છે, પરંતુ તેની સાથે કેટલીક અન્ય વસ્તુઓ સળગાવવાથી વધુ ફાયદો થઈ શકે છે. કપૂર સાથે આ વસ્તુઓ સળગાવવાથી જીવનની મોટી પરેશનીઓને દૂર કરી શકાય છે પણ સવાલ એ છે કે એવી કઈ વસ્તુઓને છે અને તેણે કપૂર સાથે સળગાવવાથી કેવી રીતે લાભ મળે છે? તો ચાલો જાણીએ તેના વિશે..
કપૂર સાથે ઘી
જ્યોતિષના જણાવ્યા અનુસાર પૂજા દરમિયાન, ઘી ચોક્કસપણે કપૂર સાથે મિશ્રિત કરવું જોઈએ અને સળગાવવું જોઈએ. આ બે વસ્તુઓ સાથે દરરોજ ભગવાનની આરતી કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કપૂર ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી તેને દરરોજ તમારી પૂજામાં સામેલ કરવું જોઈએ. ધ્યાન રાખો કે આ ઉપાય કરતી વખતે કપૂરને સંપૂર્ણપણે ઘીમાં બોળી રાખવું જોઈએ.
લવિંગ સાથે કપૂર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લવિંગ અને કપૂરને એકસાથે સળગાવવાથી ઘરની તમામ સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ ધ્યાન રાખો કે કપૂર અને લવિંગને એકસાથે સળગાવીને તેને આખા ઘરમાં ફેરવો. આ ઉપાય 5 દિવસ સુધી સતત કરો, તમને જલ્દી જ તેના શુભ પરિણામ જોવા મળશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે.
કપૂર સાથે ચમેલીનું તેલ
જાસ્મિન તેલમાં કપૂર ભેળવીને સળગાવવાથી આર્થિક તંગી દૂર કરવામાં મદદ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય સતત 11 દિવસ સુધી કરો. તેના ઉપયોગથી ઘરની તમામ નકારાત્મકતા દૂર થઈ જશે. તેમજ તમારું જીવન સુખમય બની જશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime