બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીક માનવામાં આવતા કમલનાથ અને એમના દીકરા નકુલનાથ ભાજપ સાથે જોડાઈ શકે એવી અટકળો લગાવવામાં આવી રહી છે. એવામાં વધુ એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે કોંગ્રસની ચિંતા વધારી શકે છે.

ADVERTISEMENT
અહેવાલો અનુસાર આનંદપુર સાહિબથી કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી પણ ભાજપના સંપર્કમાં છે. સૂત્રો અનુસાર મનીષ તિવારી પણ કોંગ્રેસ છોડીને ભાજપને સમર્થન આપી શકે છે. જો આમ થશે તો કોંગ્રેસ માટે આ વધુ એક ફટકો હશે. કારણ કે મનીષ તિવારીની ગણતરી પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે.
જો કે મનીષ તિવારીએ આ સમાચારને નકારી કાઢ્યા છે. આ વિશે વાત કરતા એમને કહ્યું કે હું મારા વિસ્તારમાં છું. હું કામ કરી રહ્યો છું. ભાજપમાં જોડાવાના સમાચાર તદ્દન ખોટા અને વાહિયાત છે. હું આના પર પ્રતિક્રિયા પણ આપવા માંગતો નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: પૂર્વ CM અને કોંગ્રેસ દિગ્ગજ નેતા હાથનો સાથ છોડી ભાજપમાં જાય તેવી અટકળો, રાજકારણમાં હડકંપ
મનીષ તિવારી હાલમાં આનંદપુર સાહિબથી સાંસદ છે. પરંતુ અહેવાલો અનુસાર તેઓ લુધિયાણા લોકસભાથી ભાજપ તરફથી લડી શકે છે, જો ભાજપના સૂત્રોનું માનીએ તોલુધિયાણા બેઠકનો મુદ્દો હજુ અટવાયેલો છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.